SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Eirasi 783RS PS38BBBBBBBS2833BBBBBBBBBBBBBBB, HEREHENSH8282888888888888888888888888888888888888888888888888888888888888 અથવા પોતાની અંદર તે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે પોતાના આત્મા વડે પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપમાં જોડી દેવો. સિદ્ધનું જે સ્વરૂપ છે, જે સ્થિતિ છે. તે જોઈને પોતાની સ્થિતિ તેવી કરી દેવી. પોતે પોતા વડે પોતામાં તેવું સ્વરૂપ અનુભવવું તેવી રીતે સ્થિર થવું, આ રૂપાતીત ધ્યાન છે. શબ્દોમાં ફેર છે, બાકી પહેલી અને ત્રીજી વાત એક છે. આ પ્રમાણે સિદ્ધ પરમાત્મા-અરૂપીનું ધ્યાન કરી શકાય છે. इत्यजनं स्मरन् योगी तत्स्वरूपावलंबितः ।। ___ तन्मयत्वामवप्रोति ग्राह्यग्राहकवर्जितः ॥१७४॥ તે સ્વરૂપનું અવલંબન લઈને એ પ્રમાણે નિરંતર સ્મરણ કરનાર-ધ્યાન કરનાર યોગી ગ્રાહ્યગ્રાહક વિનાનું તન્મયપણું પામે છે. ભાવાર્થ : નિરંજન પરમાત્મા સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર લાંબા વખત સુધી સ્મરણ કરતાં-તે સિદ્ધના સ્વરૂપમાં આત્માને મગ્ન કરતાં અથવા આત્મામાં સિદ્ધ સ્વરૂપને અનુભવતાં તદાકાર સ્થિતિ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રાહ્ય-ગ્રહણ કરવા લાયક અને ગ્રહણ કરનાર આવો ભેદ રહેતો નથી પણ તે સ્મરણ કે ધ્યાનના વખતમાં એકરસશું તદાકાર-તન્મયપણે યોગીને પ્રાપ્ત થાય છે. તન્મય થવાનું કારણ બતાવે છે अनन्यशरणीभूय स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं तथा व्रजेत् ॥१७५॥ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્મા સિવાય બીજું કોઈ શરણ આલંબન જેને રહેલ નથી તેવો (નિરાલંબન થયેલો) યોગી તે સિદ્ધ સ્વરૂપમાં તેવી રીતે લીન થાય છે કે ધ્યાતા અને ધ્યાન બન્નેના અભાવે ધ્યેયની સાથે એકભાવને પામે છે. GBZUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUBUBURRA aereeUBURBEREDEREBBBBREREBBBBBBBBBBBBBBB 389 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy