SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ EU101 Ellūs, REFEREREFERERURUFERURURURURURUK રાખવો. બીજાં બધાં કાર્યને હાલ તુરંત આત્મબળપ્રાપ્તિ થાય ત્યાં સુધી મુલતવી રાખવાં. છતાં જરૂરી પ્રસંગે તેમ કરવું પડે તો મનને તેમાં જોઈએ તેવું પરોવવું જ નહિ. તેમાં તો પરમાત્માને બિરાજમાન કરી રાખવા; બાકી વચન અને શરી૨ વડે જ કાર્ય કરવું. તેમાં પણ આસક્તિ રાખ્યા સિવાય પ્રવૃત્તિ કરવી. કર્યા સિવાય ચાલે તેમ નથી એટલે કરવું જોઈએ તેટલા ખાતર જ કરવું, પણ આસક્તિ રાખી ન કરવું. આમ કરવાથી ચાલુ કાર્ય જલદી સિદ્ધ થશે. ધર્મધ્યાનનો ઉપસંહાર 8888888888888888 88888888888 GRERE DE RENGKENG NGRERENGKY एवं चतुर्विधध्यानामृतमग्नं मुनेर्मनः । साक्षात्कृतजगत्तत्वं विधत्ते शुद्धिमात्मनः ॥ १७९ ॥ આ પ્રમાણે ચાર પ્રકારના ધ્યાન રૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન, જગતના તત્ત્વનો સાક્ષાત્કાર કરીને આત્માની શુદ્ધિ કરે છે. ભાવાર્થ : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ આ ચાર પ્રકારના ધ્યાનમાં ધ્યાનરૂપ અમૃતમાં મુનિઓએ મનને મગ્ન કરી દેવું, અથવા આસક્ત કરી દેવું-લય પમાડી દેવું. તેનું પરિણામ એ આવશે કે જગતમાં તત્ત્વ શું છે ? પ્રાપ્ત કરવા લાયક કે સારભૂત કઈ વસ્તુ છે ? તેનો નિશ્ચય આ ધ્યાનમાં મગ્ન થયેલું મન કરી આપશે. નિર્મળ થયેલું મન-પવિત્ર થયેલું મન જગત તત્ત્વનો સાક્ષાત્કાર કરી બતાવશે, કેમકે નિર્મળ થયેલા મનમાં આ સામર્થ્ય છે. મન મલિનતા પામી આ જીવને ચાર ગતિમાં રાખે છે, અજ્ઞાનમાં ડુબાવે છે, આત્મજ્ઞાન ભૂલાવે છે, અકર્તવ્યને કર્તવ્ય મનાવી ગૂંચવાડો ઊભો કરે છે. તે જ પવિત્ર નિર્મળ થયેલું મન આ જીવને ચાર ગતિના દરવાજા બંધ કરાવે છે. 88888888888888888833888888888888888Á૩૪૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy