SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 899/8B99RJMR863( બન્ને જુદાં જ છે. આત્મા ચૈતન્ય લક્ષણ, જ્ઞાતા-દૃષ્ટા છે. દેહ જડ લક્ષણ છે. તલથી તેલ, દૂધથી ઘી, તલવારથી મ્યાન, વગેરે પ્રત્યક્ષ જુદાં છતાં વિચાર નહીં કરનારને એકરૂપ દેખાય છે, તેમ સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરનારને આત્મા દેહથી જુદો દેખાય છે, આત્માની સત્તાથી જ પાંચે ઇન્દ્રિયો, દેહ અને મનાદિકનું જ્ઞાન થાય છે અર્થાત્ આ સર્વને જાણનાર આત્મા જ છે, આત્મા છે કે નહિ એવી શંકા કરનાર જ આત્મા પોતે છે. 38839888/zP8I88888888888 આત્મા નિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે દેવ, મનુષ્ય, જાનવર આદિ પર્યાયોની અપેક્ષાએ અનિત્ય છે. બાળ, યુવાન, વૃદ્ધાદિ ત્રણે વયનું જ્ઞાન એક આત્માને જ થાય છે અથવા નેત્રાદિક ઈંદ્રિયોથી જે કાંઈ પદાર્થ જોયો હોય, સાંભળ્યો હોય, અનુભવ્યો હોય પછી તે નેત્રાદિમાંથી કોઈ ઇન્દ્રિયનો નાશ થાય છતાં તે ઇન્દ્રિયથી અનુભવેલ વિષયનું જ્ઞાન તો બન્યું જ રહે છે, તેનો નાશ થતો નથી. આથી ચોક્કસ નિર્ણય થાય છે કે દેહનો નાશ થતાં પણ જ્ઞાતા-દષ્ટા આત્માનો નાશ થતો નથી. ૩. આત્મા કર્મનો કર્તા છે. આત્મા જે ચૈતન્યશક્તિ તેની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે ? પુદ્ગલો જડ છે, તેમાં સ્વતંત્ર કર્મ ગ્રહણની શક્તિ ક્યાંથી હોય ? જડ પદાર્થમાં કોઈ પણ પ્રકારની સ્વતઃ પ્રેરણાશક્તિ નથી. જો હોય તો પ્રાણરહિત થયેલ દેહથી ક્રિયા કેમ થતી નથી ? ચેતન ધારે છે તો પ્રવૃત્તિ કરે છે અને ધારે છે તો બધી પ્રવૃત્તિ અટકાવી પણ શકે છે. આથી એ જ નિર્ણય થાય છે કે કર્મ કરવા, ન કરવાની પ્રેરણાશક્તિ આત્મામાં જ છે. આત્મા જ્યારે પોતાના Va8/sBarBaa3Js988a8a8/8s/s88888888888888 ૩૩ ૩ Jain Education International fa888888888888888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy