SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 83888&883/28/888888888888888 દીપિકા 9.SL SSSSSER: સરમુખ રખરખ 8 ધ્યાન સ્વભાવમાં વર્તે છે, ત્યારે કર્મનો કર્તા નથી, ત્યારે તો સ્વભાવરમણતા એ જ તેનું કર્તાપણું છે અને જ્યારે આત્મજ્ઞાન ભૂલી પરભાવમાં આત્માની પ્રવૃત્તિ થાય છે ત્યારે તે કર્મનો કર્તા છે. આત્મા કર્મનો ભોક્તા છે. તે ભ્રાંતિવડે જીવ વિસ્ફુરાયમાન થઈ જડ પુદ્દગલો કર્યોં ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પોતે જાણતાં નથી કે મારે અમુક માણસને મારવો છે કે સુખી કરવો છે તથાપિ તેનો ઉપભોગ કરવાથી તેને તેમ થાય છે, એવી જ રીતે શુભાશુભ કર્મ પોતે સુખદુ:ખનાં હેતુરૂપ છે એમ જાણતાં નથી કારણ કે તે જડ છે; તથાપિ ગ્રહણ કરનાર જીવને સુખદુ:ખનો અનુભવ તો મળે છે જ. જો કર્મનો ઉપભોગ કરનાર જીવને ન માનીએ તો સુખ, દુઃખ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે કોને થાય છે ? તેનો ઉપભોગ લેનાર બીજો કોણ છે ? કોઈ જ નથી માટે આત્મા જ કર્મનો ભોક્તા છે. ૪. કર્મક્ષયથી મોક્ષ થાય છે. શુભાશુભ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. કર્મ વધે છે અને ઘટે પણ છે, તેમાં વધઘટ થતી રહે છે. કોઈ ક્રિયાથી થોડી ઓછાશ થાય છે, તો એક ક્રિયા એવી પણ હોવી જોઈએ કે તેનો સર્વથા નાશ કરે છે અને તેના ક્ષયથી મોક્ષ થાય છે. પ. મોક્ષનો ઉપાય કર્મદશા એ અજ્ઞાન ભાવથી થાય છે અને જ્ઞાનભાવમાં આવવું તે મોક્ષદશા છે. જેમ પ્રકાશ આવવાથી અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાનભાવથી કર્મનો નાશ થાય છે. કર્મબંધનાં જે જે કારણો છે તે તે કારણોના પ્રતિપક્ષરૂપ કારણોનું ૩૪ 8888888ર9/383389383CKS@888888888888888888 Jain Education International 88888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy