SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 338 ROSSBBSBURSASPERSRSRSREIRRBRESSBBeziloEllus #88888888888888888888888888888888888888888888888888888888888888888888888 રહેવાને અવકાશ ક્યાંથી મળે ? પ્રકાશ અને અંધારું સાથે છે ક્યાંથી રહી શકે ? જે મનમાં વેર-વિરોધની વાસના બળતી હોય ત્યાં આત્મસ્વરૂપની પરમ શાંતિ કેવી રીતે પ્રગટ થાય ? મનમાંથી તેવી ભાવનાને તદન કાઢી નાખી તેને ઠેકાણે અપરાધીઓને પણ ક્ષમા (માફી) આપનારી કોમળતાવાળી ઉપશમ ભાવનાને સ્થાપિત કરવાથી સમ્યત્વ નામનો આ આત્મગુણ પ્રગટ થાય છે. ૨. જ્યાં હૃદય વિવિધ પ્રકારની આશા, ઇચ્છા કે તૃષ્ણાને લીધે આકુળવ્યાકુળ થઈ રહ્યું હોય, ઘડીભર પણ પરમ શાંતિમાં બેસવાની સ્થિરતા મળતી ન હોય, મનમાં નાના પ્રકારના વિચાર કે વિતર્કો ચાલતા હોય, વિષય મેળવવાની ઇચ્છાથી મન વિહ્વળ થઈ રહ્યું હોય કે તેવા ચંચળતાવાળા મનમાં છે સમ્યત્વ ગુણ કેવી રીતે પ્રગટ થાય ? આત્મભાવમાં અને પુદ્ગલોમાં આસક્તદશા આ બન્નેને સૂર્ય અને અંધકારના જેટલો તફાવત છે. થોડો વખત પણ વિષયાદિક કામનાના વિચારોથી મનને શાંતિ આપી અર્થાત્ તેવા અન્ય વિચારોને દૂર કરી આત્મભાવમાં સ્થિરતાનો અનુભવ કરવાથી-મનને શાંત રાખવાથી, સ્થિર અને નિર્મલ થયેલ પાણીમાં નીચે પડેલ વસ્તુ જેમ પ્રગટ દેખાઈ આવે છે તેમ મનને આત્મભાવમાં સ્થિરતાનો આશ્રય કરાવવાથી તેમાં સમ્યક્ત્વરૂપ આત્મગુણ પ્રગટ થઈ આવે છે. ૩. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્યા છે, કર્મનો ભોગવનારો છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આત્મા છે તે વાત અનુભવસિદ્ધ ચોક્કસ છે, દેહના અધ્યાસથી દેહ છે જેવો દીસે છે પણ તે અજ્ઞાનદશા જ છે. દેહ અને આત્મા BOBBAUBURUBBERBOHUSBEKEURUBURURUBUXURVEBBBBURURURUSUBURURUBURBRGBVRBBBBURUD 32 BSBUBUBBZUBERBBBBBBBBBBBBBBSURUBBEEKBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy