SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 988888888888888888888888ઋફિ8888888888888ાનહાપણા MARGRUNIRINGRO Ryan DinarURUR NON URNINGARHRYH8 ay yayangnya કરવાનો રાજમાર્ગ છે. માટે મનને આત્મધ્યાનમાં જોડી, ધ્યાનની શક્તિનો સારો ઉપયોગ કરવો. રૂપાતીત ધ્યાન लोकाग्रस्थं परात्मानममूर्त क्लेशवर्जितम् । चिदानंदमयं सिद्धमनंतानंदगं स्मरेत् ॥१७१॥ લોકના અગ્રભાગ ઉપર રહેલા અમૂર્ત, કલેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીતધ્યાન છે. | ભાવાર્થઃ લોક શબ્દ વડે ચૌદ રાજલોક. તેના ઉપરના ભાગ ઉપર રહેલા, તેના વ્યવહારને ઓળંગી ગયેલા પરમાત્માનું ધ્યાન કરવું. અથવા લોક શબ્દ વડે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને કર્માધીન જીવો આ સર્વની પર આવેલા સ્થાન ઉપર અથવા સ્થાનમાં રહેલા પરમાત્મા-તેનું ધ્યાન કરવું. આ સ્થાન સર્વથી પર આવેલું છે તેનું કારણ એ છે કે આ સર્વને પરમાત્મા જાણી શકે છે, પણ છે સર્વ તે પરમાત્માને જાણી શકતા નથી. બીજા અર્થમાં કહીએ તો આ ચૌદ રાજલોકના ઉપરના ભાગમાં સિદ્ધના જીવો રહે છે. તેઓ અમૂર્ત છે. તેમાં આ પ્રત્યક્ષ પુદ્ગલોમાં દેખાતું કોઈ પણ જાતનું રૂપ નથી. તેમને જન્મ-મરણાદિ કોઈ પણ { પ્રકારનો ક્લેશ નથી. તેઓ જ્ઞાન અને આનંદમય છે અથવા જ્ઞાન એ જ આનંદ તેમને છે. તેઓ શુદ્ધસ્વરૂપ થયેલા હોવાથી સિદ્ધ છે. હવે કાંઈ પણ કર્તવ્ય તેમને બાકી રહેતું નથી અને અનંત આનંદમાં લીન થયેલા છે. તેમના એ સ્વરૂપાનંદનો પાર નથી. એવા પરમાત્માનું ઉત્કૃષ્ટ આત્માનું ચિંતન કરવું, હું હૃદયમાં સ્મરણ કરવું, ધ્યાન કરવું, તે રૂપાતીતધ્યાન છે. તેનું ધ્યાન શા માટે કરવું ? BEBERRRRRRRRRRRREREREPEREBUBERERERERURRRRRRRRRURUBURUDUBLEBABEBEREBRALES 3CORERSABBARBERSEDERTREREREREBBREREBBERO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy