SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા કેરનું રખરખરખર97849a9RS8 આશયથી કોઈ પણ આત્મધ્યાનમાં પ્રયત્ન કરનારનો વિજય થતો જ નથી. અને કદાચ તેમાં તેનો વિજય થાય તો સમજવું કે તે વિજય તેના પોતાના જ નાશ માટે થયો છે. કારણ કે બાળકના હાથમાં શસ્ત્ર અપાય જ નહિ અને કદાચ કોઈએ આપ્યું, અગર તેણે હઠ કરીને લીધું, તો જરૂર સમજવું જોઈએ કે તે શસ્ત્ર બાળકનો નાશ કરશે, કારણ કે તેને તે શસ્ત્રનો ઉપયોગ કેમ કરવો તેનું ભાન નથી, તેમ સિદ્ધિઓરૂપી શસ્ત્ર બાળક સમાન આ લોકની વાસના કે ઐશ્વર્ય ભોગવવાની ઇચ્છાવાળાના હાથમાં અપાય જ નહિ કેમ કે તેનો શો ઉપયોગ કરવો તેનું આ મિલન વાસનાવાળાને ભાન જ નથી. આ ભાન ન હોવાનું મુખ્ય કારણ તેની વાસના અને આત્મસ્થિતિનું અજ્ઞાન તે જ છે. તેનાથી લોભ, તૃષ્ણા કે કામવાસના તેનું જ તે પોષણ કરવાનો પણ તેનાથી પરોપકારનું કામ ભાગ્યે જ બનશે. ન બનવાનું કારણ તેની મલિન ઇચ્છાઓ પ્રથમ પોતાની તૃપ્તિ કરવા માટે જ પ્રાર્થના કરશે અને તેના ખેંચાણને લઈ તે બીજાં કામોને ભૂલી જશે, યા ગૌણ કરી દેશે, એટલે તે સિદ્ધિઓથી તેનો નાશ જ થવાનો. ‘ત્યાગે તેની આગે આ કહેવત પ્રમાણે સર્વ ઇચ્છારહિત થયેલા, ઇચ્છાશક્તિ પર કાબૂ મેળવનારા નિઃસ્પૃહ પુરુષોમાં જ મહાન શક્તિ પ્રગટ થાય છે. પરોપકાર કરવાનું તેવા મહાન પુરુષોના ભાગ્યમાં જ લખાયેલું હોય છે. શક્તિને જીરવી શકનાર પુરુષોમાં જ તેવી શક્તિઓ પ્રાયઃ ઉત્પન્ન થાય છે. પ્રશ્રો એ કો મોક્ષનું અવલંબન કરનારા નીરોગી પુરુષોને ઇચ્છારહિત છતાં પણ સર્વ સાનુકૂળ થઈ રહે છે, સિદ્ધિઓની ઇચ્છા કરવી તે આત્મસ્થિતિમાંથી હેઠા પડવા બરોબર છે. અને ઇચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો તે આત્મમાર્ગમાં પ્રવેશ ËRURURURURUTERERERURURURUKUKURURURURUKUKURU 339 www.jainelibrary.org ૨૨ Jain Education International For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy