SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ alloEIRUSBUBBHUSESEBUBURBALLUSTRERBASERRUR 288888888888888888888888888888HYRYNUR 28282828289889899 NSPNYANYI8888 यस्यात्र ध्यानमात्रेण क्षीयन्ते जन्ममृत्यवः । उत्पद्यते च विज्ञानं स ध्येयो नित्यमात्मना ॥१७२।। જેના અહીં ધ્યાન કરવામાત્ર વડે કરીને જન્મમરણનો ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું આત્માએ નિરંતર ધ્યાન કરવું. ભાવાર્થ : તે સિદ્ધ પરમાત્માનું-આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તેનું ધ્યાન કરવા પડે તે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. તે હું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતાં આ વિભાવદશાથી ઉત્પન્ન તથા જન્મમરણાદિનો નાશ થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્તામાં રહેલ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. માટે આત્માએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ આત્માનું કે છેસિદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું. ' હવે તે ધ્યાન કેમ કરવું ? • तत्स्वरूपाहितं . स्वान्तं तद्गुणग्रामरंजितम् । योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥१७३॥ પોતાની અંદર તે સ્વરૂપ સિદ્ધ કરવા માટે તે સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં પોતાના અંતઃકરણને સ્થાપન કરવું, તેના ગુણગ્રામમાં રંજિત કરવું. અને આત્મા વડે આત્માને તેના સ્વરૂપમાં જોડવો. (રૂપાતીતનું ધ્યાન આવી રીતે થાય.) ભાવાર્થ : અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન કેવી રીતે છે થઈ શકે ? આનો ઉત્તર વિધિ આ શાસ્ત્રકાર આ પ્રમાણે બતાવે છે, કે સિદ્ધનું સ્વરૂપ પૂર્વે બતાવી ગયા છે, તે સ્વરૂપમાં પોતાના અંતઃકરણને ચારે બાજુથી સ્થાપી દેવું, વ્યાપ્ત કરી દેવું. જેવું સામું આલંબન હોય તેવા આકારે ઉપયોગ પરિણમી હું રહે છે. સામો ઘડો પડ્યો હોય તો આત્મઉપયોગ તે આકારે જ્યારે પરિણમશે ત્યારે જ ખરેખર ઘડાનો બોધ થશે. કોઈ છે GBBBBBBBBBBBBBBBBBBERBUREBBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRREU SABABERLER ERBORDEA BARREDOBBER 339 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy