SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા •,"WHS,SR*999R89883%e0%a4% કારણથી ત્યાર પછીથી જુદી જુદી ભાવના કે આકારપણે તે પરિણમવાનું બંધ થાય છે. સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊંચામાં ઊંચી ભાવના પ્રમાણે મનને પરિણમાવવાની નિરંતર ટેવ પાડવી. અને તે ટેવ પાડવી એ સહેલું કામ છે, ફક્ત પોતાની જાગૃતિ અને ઉત્તમ નિમિત્તોની મદદની તેમાં જરૂર છે. તે નિમિત્તો પુણ્યયોગે પોતાને મળી જાય છે તો મોક્ષ પોતાની પાસે જ છે. તે સિવાય પરિભ્રમણ ચાલુ જ રહેવાનું. આ જ બાબતને બીજી રીતે (નિશ્ચયનયની અપેક્ષાએ) વિચારીએ તો આત્મા તદ્દન શુદ્ધ નિર્લેપ છે. તે કોઈ દિવસ મલિન થયેલો નથી. તે તો જેમ જેવો છે તેમ તેવો જ કાયમ છે. પરિણમનધર્મ ભાવ મનમાં થયા કરે છે, એટલે તે ભાવનાના પુટ મનને આપવા પડે છે અને મનને શુદ્ધ કરવા માટે જ પ્રયાસ કરવાનો છે, કેમકે આત્મા તો પરિણામ પામતો નથી. તે તો શુદ્ધ સ્વરૂપ છે, તે પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે. તેનો પ્રકાશ મન ઉપર પડે છે. મન મલિન હોવાથી તેમાં સ્પષ્ટ-પૂર્ણ પ્રકાશ પડતો નથી. તે મન આ ભાવના તથા ધ્યાનાદિ ક્રિયાથી જેમ જેમ સ્વચ્છ નિર્મળ થતો જાય છે તેમ તેમ આત્માનો પૂર્ણ પ્રકાશ તેમાં પડે છે અને તેથી તે પોતાને પૂર્ણ શુદ્ધ માને છે. આ અપેક્ષાએ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માને મલિન અને પરિણમન ધર્મવાળો માનનાર વ્યવહારનયે, આત્માને શુદ્ધ કરવા યમ, નિયમ, ભાવના, ધ્યાનાદિ કરવાનાં છે. ગમે તે રીતે માનો પણ પ્રયત્ન બન્ને સ્થળે કરવાની જરૂર છે. શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાયજી અષ્ટકજીમાં લખે છે કે " अलिप्तो 888888888888/s3893838a888888888888888888 (0%aa%a88888888888 निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः शुद्धत्यलिप्तया ज्ञानी, क्रियावान लिप्तया देशा || " ' 39838a8888838/&#£8888888&888888838888888{૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy