SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ 88888288838&:K8084838/‹888888a8a8888888888888888888 &8a88888w8 888 3ર3,639,683 64] 9868WRGERY ધ્યાન દીપિકા થાય છે. આ જ પ્રમાણે હું સર્વજ્ઞ છું, આ ભાવના પ્રબળ રૂપ ધારણ કરી બીજી બધી ભાવનાઓને સદાને માટે દેશવટો આપે તો સર્વજ્ઞ પણ થવાય છે. એ તો સ્ફટિક મણિ જેવી સ્થિતિ છે. સ્ફટિક મણિની પાછળ ગમે તે જાતના રંગનો પટ લગાડો કે પાછળ તેવા રંગનો કાગળ કે કાંઈ તેવું જ મૂકો તો તે સ્ફટિક તેવા જ રંગનો દેખાશે, તેવું જ રૂપ ધારણ કરશે. આ વખતે સ્ફટિક રત્ને પોતાના ધોળાપણાનું કે સ્વચ્છપણાનું રૂપ બદલાવ્યું નથી પણ જ્યાં સુધી તે ભાવનાનો પટ તેની આગળ રહેશે ત્યાં સુધી તો તે તેવું જ દેખાવાનું. તેમ આ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે તે તો તેવું ને તેવું જ રહેવાનું. તેમાં જરા પણ ફેરફાર થવાનો નથી, પણ જે ભાવનાનો પાસ લગાડવામાં આવશે તે તે રૂપ તે દેખાવ આપશે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે અને તે એ છે કે આત્મા, ભાવના પ્રમાણે પરિણમ્યા જ કરે છે, તો સર્વજ્ઞપણાની ભાવના ભુલાઈ અને કોઈ બીજી વિકારી ભાવના ઉત્પન્ન થઈ તો પછી સર્વજ્ઞપણું તો ચાલ્યું જ જાય ને ? આનું સમાધાન આ પ્રમાણે છે કે જ્યાં સુધી આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તો ભાવનાઓના બદલવા સાથે આત્મા તે તે આકારે યા ભાવના પ્રમાણે પરિણમવાનો જ; કારણ પરિણમન ધર્મ તેમાં રહેલો છે. પણ જ્યારે સર્વથા વિશુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે પછી તે સર્વજ્ઞપણાની ભાવનાથી કે પરમાત્મભાવનાથી અથવા ગમે તે જાતની ક્રિયાથી પણ જ્યારે સર્વથા શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે ત્યારે આ પરિણમન ધર્મ-જુદા જુદા આકારે પરિણમવાની યોગ્યતા તેની સાથે જ નાશ પામે છે. અને તે [૩૩૨ 8888338&:G&G(G&@BK<WK &TGKKSsss&KS Jain Education International For Private & Personal Use Only 8888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy