SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકાÆRBIનખદ્વશ્યમ્સનનRદ્વM88888Æસની ર તે ઉપર દૃષ્ટાંત બતાવે છે. येन येन हि भावेन युज्यते यंत्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणिर्यथा ॥ १६८ ॥ 88888899/888888 જે જે ભાવનાઓ સાથે આત્માને જોડવામાં આવે છે તેની સાથે સ્ફટિક મણિની માફક તે આત્મા તન્મયતાને પામે છે. ભાવાર્થ : કામની, ક્રોધની, લોભની, ઇર્ષ્યાની, શાંતિની સમતાની, ભયની, મોહની, વિતરાગતાની, જ્ઞાનની કે તેવી જ કોઈ પણ ભાવના સાથે આત્માને જોડતાં અર્થાત્ મનમાં તેવી કોઈ પણ ભાવના ઉત્પન્ન કરતાં મન કે આત્મા તે તે આકારે પરિણમે છે; તન્મયપણાને પામે છે. ક્રોધની ભાવના હૃદયમાં ઉત્પન્ન થતાં ક્રોધરૂપ ઉપયોગે તત્કાળ પરિણમાય છે. કામની ભાવના ઉત્પન્ન કરતાં કામ ઉત્પન્ન થાય છે. લોભની ભાવના ઉત્પન્ન કરતાં દાતા૨૫ણું સંકોચાઈ જઈ કંજૂસાઈ કરતો જણાય છે. ઈર્ષ્યાની ભાવના ઉત્પન્ન થતાં ગુણાનુરાગીપણું નાસી જાય છે. તેમ જ શાંતિ, સમતા કે ક્ષમાની ભાવના હૃદયમાં પ્રગટ થતાં પરમશાંતિ અનુભવાય છે. અને તેટલા વખત સુધી તેની વિરુદ્ધ લાગણીઓ છુપાઈ જાય છે. ભયની ભાવના થતાં એટલે અમુક સ્થળે ભય છે, ભૂત છે વગેરે ભાવના થતાં હૃદયમાં ભય પ્રગટ થાય છે. બને ત્યાં સુધી તેવા સ્થળે જવાનું બંધ જ કરી દે છે. મોહની ભાવનાથી વિરાગ નાસી જાય છે અને હૃદયમાં તેનું જ સામ્રાજ્ય સ્થપાય છે. પછી જ્યાં વીતરાગની ભાવનાએ હૃદયમાં સ્થાન લીધું કે મોહને ઉચાળા ભરવા જ પડે છે. જ્ઞાનની ભાવનાથી હૃદયમાં વિવિધ વિચારો અને જ્ઞાન પ્રગટ 8338a8aa3Kasa88888888 #333333333333a388888888a8338a8888888688[ ૩૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy