SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ EU 11 Elfùs1 BERURURURURURURUFURURERERURURURE આ આલંબનની મદદ વડે ધ્યાનનો અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પોતાના આત્માને સર્વજ્ઞપણાને પામેલો પ્રગટપણે જુએ છે. 83.8888888888888a8aE કેવી રીતે તન્મય થવું જોઈએ ? सर्वज्ञो भगवान् योऽयमहमेवास्मि स ધ્રુવમ્ । एवं तन्मयतां यातः सर्ववेदीति मन्यते ॥ १६६ ॥ જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હું જ નિશ્ચય છું. આવી તન્મયતાને પ્રાપ્ત થયેલો ‘સર્વજ્ઞ' એમ મનાય છે. ભાવાર્થ : નિરંતરના આત્મઅભ્યાસથી આત્મસ્વરૂપ થવાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અભ્યાસ અભ્યાસનું કાર્ય સિદ્ધ કરે છે. એક નાનું સરખું બીજ જમીનમાં વાવવામાં આવ્યું હોય છે અને નિરંતર તેને અનુકૂળ સામગ્રીનું પોષણ આપ્યું હોય છે તો કાળાંતરે એક મહાન ગંભીર ઘટાવાળું મજબૂત ઝાડ થઈ ૨હે છે. તો આત્મશક્તિ તો પોતાની પાસે જ છે. પોતે જ તદ્રુપ છે. અજ્ઞાન દશાથી ભાન ભૂલાયેલું છે. કર્મ લાગેલાં છે. બાકી કાંઈ ફેરફાર થયેલો નથી. નિરંતર આત્મા એ જ હું છું એ સ્મૃતિમાં રખાતું હોય, હું સર્વજ્ઞ છું જ. સર્વજ્ઞ છું. આ મહાવાક્યનો પટ મન ઉપર નિત્ય અપાતો હોય અને તે બોલવામાત્રથી નહિ પણ તન્મય થઈને એ સિવાય બીજું કાંઈ નથી, એટલે સુધી વ્યવહારનું ભાન ભૂલીને, એટલે હું જ પરમાત્મા છું તે ભાવનામાં જ તદાકાર થવાનો અહોનિશ પ્રયાસ કરાતો હોય તો તે સર્વજ્ઞપણાને અવશ્ય પામે છે જેવી ભાવના તેવી સિદ્ધિ. વિશેષ એટલો છે કે સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી, અહોનિશ આ ભાવનામાં લીન થવું જોઈએ. આ જ આંતરચારિત્ર છે. આ જ મુખ્ય શ્રદ્ધાન છે અને આ જ મુખ્ય જ્ઞાન છે. વધારે શું કહેવું ? આવી ÉTURUZURUTURETERUKURERERUPEREFERERETURURURUJIĆ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy