SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ WGWSSB SSSSS RS-8"S59388868 ાન દીપિકા 3888888888 888888888888888888 જિનેશ્વર ભગવાનની પ્રતિમાના રૂપનું પણ, નિર્મળ મનની ખુલ્લી દૃષ્ટિ વડે ધ્યાન કરતાં રૂપસ્થ ધ્યાનવાન થાય છે. ભાવાર્થ : જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સન્મુખ આંખો મીંચાવા દીધા સિવાયની ખુલ્લી દૃષ્ટિ વડે જોયા કરવું. તે એટલે સુધી કે પોતાનું ભાન ભુલાઈ જાય અને એકાકાર તન્મય થઈ જવાય ત્યાં સુધી જોયા કરવું. તે સાથે આંતરદૃષ્ટિ પ્રતિમાજી ઉપર નહિ પણ આ પ્રતિમાજી જે તીર્થંકર દેવની છે તેના આત્મા સાથે તન્મય પામતા જવું કારણ કે આપણે પ્રતિમાજી જેવા થવું નથી પણ જે દેવના પ્રતિમાજી છે તે તીર્થંકર દેવના આત્માના જેવા પવિત્ર પૂર્ણ સ્વરૂપ થવાનું છે એટલે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેમના આત્મા સાથે આંતરદૃષ્ટિથી એકતા પામતા જવું પોતાનું (મનુષ્યપણાદિનું) તુચ્છ સ્વરૂપ ભૂલી જઈ પરમાત્માના પૂર્ણ સ્વરૂપમાં એકાકારતા પામવી, પરમાત્મસ્વરૂપ સાથે એકરસ થવું, અર્થાત્ પોતામાં રહેલા ૫૨માત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પામવી-આ રૂપસ્થધ્યાન છે. ૫૨માત્માના સ્વરૂપ સાથે એકાગ્રતા મેળવવી એ ખરી રીતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરવો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવું અથવા સર્વ કર્મનો નાશ સાધવો તે કરવા બરોબર છે. આલંબનો તો સાધનરૂપે છે. તે આલંબનો પકડીને બેસી રહેવું તે કર્તવ્ય નથી પણ આલંબનોની મદદથી કાર્ય કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેટલે અંશે પ્રગટ થાય તે રૂપ કાર્ય કરવાનું છે. આ વાત ધ્યાન કરનારના લક્ષ બહાર જરા પણ જવી ન જોઈએ. ધ્યાનનું ફળ Jain Education International 8a888888 ध्यानी चाभ्यासयोगेन तन्मयत्वमुपागतः । सर्वज्ञीभूतमात्मानमवलोकयति स्फुटम् ॥१६५॥ ૩૨૮ ૩૩% 8333333KE&888888ર9ર8&s&8*88888888 For Private & Personal Use Only 8:28/8888888888 &88& www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy