SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઋ8િ8કિ8 8િ888888888888888888888888888888888888થ alપકા 88888888888888888888888888888888888888888888888888888888888888888884 છે પરમાત્મા છું. આ સર્વ આગમપદોનું વિચારપૂર્વક મનન કરવું. તેવા સ્વરૂપે પરિણમવા માટે અન્ય વિચારોને દૂર રાખી આ વિચારને જ મુખ્ય રાખવો. નિરંતર તેનું જ શ્રવણ, છે તેનું જ મનન અને તેવા રૂપે જ પરિણમવું-આ પણ પદસ્થધ્યાન છે. જુઓ કે રૂપાતતધ્યાન તરફ આ ધ્યાન પ્રયાણ કરતું જણાય છે. તથાપિ અહીં પદની-આગમના પદની મુખ્યતા રાખી તે ધ્યાન કરાતું હોવાથી પદDધ્યાનમાં સમાવેશ પામે છે. રૂપધ્યાના सर्वातिशययुक्तस्य केवलज्ञानभास्वतः । अर्हतो रूपमालंब्य ध्यानं रूपस्थमुच्यते ॥१६२॥ રાષિમહામોરિજિતમ્ | शांतकांत मनोहारि सर्वलक्षणलक्षितम् ॥१६३॥ સર્વ અતિશયોથી યુક્ત, કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ, રાગદ્વેષરૂપ મહાન મોહના વિકારો વડે નહિ કલંકિત થયેલા, શાંત, શોભનીય, મનહરણ કરનારા ઈત્યાદિ સર્વ લક્ષણોથી હું ઓળખાયેલા અરિહંતના રૂપનું આલંબન કરીને ધ્યાન કરવું તેને રૂપDધ્યાન કહે છે. ભાવાર્થ : દેહધારી સાક્ષાત્ સ્વરૂપે વિચરતા અરિહંત હું ભગવાનના સ્વરૂપનું અવલંબન કરીને ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. અરિહંત-અરિ જે રાગદ્વેષાદિ શત્રુઓ તેઓને હંત હણનાર તેનો-નાશ કરનાર તે અરિહંત છે. રાગદ્વેષનો સર્વથા નાશ કરનાર તે સર્વ સામાન્ય રીતે અરિહંત હું કહેવાય છે. છતાં “સર્વ અતિશયોથી યુક્ત' એ વાક્યથી વિશેષ સ્વરૂપવાળા તીર્થંકરરૂપ અરિહંતનું અહીં લક્ષ કહ્યું છે 888888888888888888888હિ888888888888888888888888888888888888888888888888888 32€ BOBORREREREBBRERRRRRRRRRRRRRRRRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy