SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા 888888888888888888888888888888888888 282888888888888888888888888888888888888888888888888888888888888) સુધી ધ્યાન કરવું જોઈએ. આ સારું હશે કે તે સારું હશે ! છે. આવા વિચારોથી થોડો વખત આ કર્યું, તેમાં હજી છે પરિપક્વતા ન થઈ હોય તેટલામાં તેને પડતું મૂકી બીજું પદ કે મંત્ર લેવો, એમ વારંવાર બદલાવવાથી એકે પાકું કે સિદ્ધ થતું નથી. માટે કોઈ એક ગમે તે પદ કે મંત્ર લો પણ તેનો પાર પામો. કોઈ પણ પદ કે મંત્ર હો તથાપિ તમારું લક્ષ તે પ્રત્યે એટલા પૂરતું હોવું જોઈએ કે આ પદ કે મંત્રના જાપ કે ધ્યાનથી વિશુદ્ધિ મેળવવી છે, મનને એકાગ્ર અને નિશ્ચલ કરવું છે, તે વાત ધ્યાનમાં રાખી પછી અભ્યાસ શરૂ કરશો તો પછી કયા પદનું ધ્યાન કે જાપ કરવો તે સંબંધી જરા પણ જુદા વિચારો રહેશે નહિ. આ સર્વ પદ કે મંત્રમાં જે શક્તિ છે તે શક્તિ તમારા ખંત કે પ્રયત્ન ઉપર અથવા સચોટ લાગણી ઉપર આધાર રાખે છે. તે નહિ હોય તો કોઈ ગમે તેવું સારું પદ કે મંત્ર હશે છતાં પણ તમે તેનાથી ફાયદો મેળવી શકશો નહિ. આ તો આલંબનો છે. શક્તિ તો તમારામાં જ છે. આલંબનમાંથી તે પ્રગટ કરવાની નથી. તે તો તમારામાંથી જ પ્રગટ થશે. આ આલંબન તો નિમિત્ત માત્ર છે, માટે તમારામાં તેવી મહાન શક્તિની શ્રદ્ધા રાખી, આલંબનનો આધાર લઈ તેમાં એકાગ્રતા મેળવો કે પછી પાછળનો રસ્તો તમારા માટે ઘણો જ સહેલો છે. આગમના પદોનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું-જાપ કરવો તે પણ પોતાના સ્વરૂપની થયેલી વિસ્મૃતિની જાગૃતિ છે લાવવી તે માટે જ છે. સો પરમUT | આત્મા જ પરમાત્મા છે. આ જીવ જ પરમાત્મા થઈ શકે છે. “સોહં' હું તે જ સિદ્ધસ્વરૂપ GABBUBURRO BRUBUBURGERBROROBOROBUREAUERRERBRORURBRORUBBBBBBBBBBBBBBBBBRERA SREBBRGBAGBUBUBURURLBOROBUDURUBURBEWERBERŲ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy