SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ allot ElnYSI PORSBUBBBBBBBBBBBBBBBBS BPO BE PUBBBBB. 88888888888888888888888888888888888888888888888888888888888888HERE&8888888888 વારુણી ધારણા स्मरेद्वर्षत्सुधासारैः धनमालाकुलं नभः ।। ततोऽर्धेन्दुसमं कान्तं मंडलं वारुणाङ्कितम् ॥१५२॥ नभस्तलं सुधाम्भोमिः प्लायवयेत्तत्पुरं ततः ।। तद्रजः कायसंभूतं क्षालयेदिति वारुणी ॥१५३॥ મેઘની માળા વડે ઘેરાયેલા અને અમૃતના પાણી વડે વર્ષતા આકાશનું ચિંતન કરવું. ત્યાર પછી અર્ધચંદ્ર સમાન સુંદર અને વરુણ બીજ (૧)ના ચિહ્નવાળું વરુણમંડળ ચિંતવવું. ત્યાર પછી તે વરુણપુર અમૃતના પાણી વડે આકાશ તળને પલાળી દે છે એમ ચિંતવવું. અને શરીરની ઉત્પન્ન થયેલી તે રજને ધોઈ નાખે છે એમ વિચારવું તે વારુણી (પાણીની) ધારણા છે. ભાવાર્થ : વાયુની ધારણા સ્થિર થયા પછી પાણીની ધારણા કરવી. તે ધારણામાં પ્રથમ આકાશ ચિંતવવું. આ આકાશ વાદળાંઓની ઘટાથી ઘેરાયેલું છે અને તેમાંથી અમૃતના પાણીનો વરસાદ વરસી રહ્યો છે. એ ભાવના દઢ થયા પછી, વરુણપુર કે વરુણમંડલનું ચિંતવન કરવું. આ વરુણપુર અર્ધ ચંદ્ર સમાન સુંદર ચળકતું છે અને તેના ઉપર વરુણ બીજ (વ)નું ચિહ્ન છે, એમ ચિંતવવું. ત્યારપછી આ વરુણમંડલમાંથી અમૃતનો વરસાદ વરસતો ચિંતવવો અને તેથી આખું આકાશ પલળી જાય છે એમ ચિંતવવું. તે સાથે પ્રથમ શરીરની ભસ્મ જે આકાશમાં ઉડાડી નાંખી હતી તેથી મલિન થયેલું આકાશ આ અમૃતના પાણીથી સાફ ધોઈ નાંખવું અને તેથી નિર્મળ શુદ્ધ આકાશ થઈ જાય છે, એમ ચિંતવન કરવું તે વારુણી (પાણીની) ધારણા છે. BBURURKENBURGBUBBBBBBBBBBBUBURUBURURURUBVBOBOBOBOROBUBURUBUBUBURBURUBURUEN 888888888888888888888888888888888888888888888[૩૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy