SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888888888 નહilhકા RSR88888IGIG:88888888888888888888888888888888888888888SRSRSRSRSRSR8288 m જેવું છે. જેમ કેળવીએ, જે ટેવ પડાવીએ તે પ્રમાણે કેળવાય છે-ટેવ પાડે છે. આપણા કહ્યા મુજબ મન કરે તે એક રીતે મન આપણને સ્વાધીન થાય છે એમ કહેવામાં જરા પણ અડચણ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ, જાગૃતિ વિના, ઓઘસંજ્ઞાએ મન જે દોડધામ કરી મૂકે છે, એક વિચારમાં રોક્યા છતાં વચમાં બીજા વિચારો મૂકીને જે મૂંઝવણો ઊભી કરી મૂકે છે, તેના કરતાં આપણે બતાવીએ તે વિચારો કરે-તે આકારો પકડે તે ઘણું જ ઉત્તમ છે. જુઓ હજી તે મનની ખરી નિર્મળતા તો રૂપાતીત ધ્યાનમાં જ થાય છે. તથાપિ આપણા મનની ધારણા નીચલી અપેક્ષાએ ઘણી ઉત્તમ છે. હવે મનથી એવી કલ્પના કરો કે, વાયુ ઘણો પ્રચંડ વાવો શરૂ શું થાય છે. તત્કાળ તેવી કલ્પના સિદ્ધ ન થાય તો પહેલાં કોઈ વખત વધારે વાયરો ચાલુ થયેલો તમારા જોવામાં આવ્યો હોય તેવી કલ્પના કરો કે તેની સ્મૃતિ અહીં કરો અને ધીમે ધીમે તેમાં વધારો કરતા રહો. તે એટલે સુધી કે આખાં ત્રણ ભુવન પવનથી વ્યાપ્ત થઈ ગયાં છે અને તે એવા ઝપાટાથી વાયરો વાય છે કે મોટા મોટા પહાડો પણ ચલિત થઈ ગયા શું છે તથા સમુદ્રો ક્ષોભ પામીને મર્યાદા મૂકવા માંડ્યા છે, પાણીનાં મોટાં મોજાંઓ સમુદ્રમાં ઊછળી રહ્યા છે. આ વિચારોથી તેવો દેખાવ દેખાયા પછી પૂર્વે અગ્નેયી ધારણામાં જે શરીર તથા કર્મ આદિને રાખનો ઢગલો થયેલો પડ્યો હતો તે આ વાયુના ઝપાટાથી આકાશમાં ઊડી ગયો છે તેમ ચિંતવવું. ત્યારબાદ માનસિક કલ્પનાને બદલાવવી એટલે જે પ્રચંડ વાયુ વાઈ રહ્યો હતો તેને તદ્દન શાંત કરી દેવો, એટલે જરા પણ વાયુ વાતો નથી તેવી સ્થિતિ મનથી કલ્પવી આ વાયવી ધારણા છે. BOROBOROBUDUR BURSPUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBERGREBROERBURGRUBOS 397838BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy