SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ BREKERERERERS 8888888888888888888 BLAL રખરખ 90% ધ્યાનદીપિકા સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા, એટલે જે આલંબનરૂપ ધ્યેય છે તેમાં અગર તે તરફ અંતરદૃષ્ટિ કરી, તે લક્ષ સિવાય મન બીજું કાંઈ પણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતની એક વૃત્તિનો અખંડ પ્રવાહ ચલાવ્યા કરે તે. 38\8888888888a888 888888&8888 પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, આ ચાર પ્રકારનાં ધ્યેય, એટલે ધ્યાન કરવા લાયક આલંબનો છે. પિંડમાં રહે તે પિંડસ્થ. પિંડ એટલે શરીર અને તેમાં રહેનાર આત્મા તેનું ધ્યાન કરવું તે પિંડસ્થધ્યાન છે. શરીરનાં અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક પરિણમાવવું અથવા આત્મઉપયોગને તે તે પ્રકારે પરિણમાવવો તે પિંડસ્થધ્યાન છે. આંતરમન અને આત્મઉપયોગ એ કોઈ પણ રીતે જુદાં સંભવતાં નથી. દ્રવ્ય મન જેવા જેવા આકારો ધારણ કરે છે આત્મઉપયોગ તેવા તેવા આકારે પરિણમે છે. ખરી રીતે આત્મસ્વરૂપે (કોઈ પણ પ્રકારના વિકારી આકાર વિના) આત્મઉપયોગને સ્થિર કરવો, તે આત્મસ્વરૂપ છે. આવી સ્થિતિ અનાદિકાલના અભ્યાસને લીધે એકદમ ન થાય તે માટે આ બધી જુદી જુદી કલ્પનાઓ છે, તે તે કલ્પના પ્રમાણે સ્વૈચ્છાનુસાર પરિણમાવાની ટેવ પાડ્યા પછી મૂળ સ્થિર સ્વરૂપે સ્થિર રહેવાનું સુગમ પડે માટે આ કલ્પનાઓ કરવી પડે છે. જેમ બાણાવળી કે ગોળીબાર કરનાર બાણ કે ગોળીથી લક્ષભેદ કરવાની ટેવ પાડવા માટે પ્રથમ ગમે તે સ્થૂળ વસ્તુ લક્ષ તરીકે રાખી તેને વીંધવાની ટેવ પાડે છે. આ પ્રથમની લક્ષ વીંધવાની ટેવ તે કાંઈ સાચો શત્રુ નથી, પણ અભ્યાસ છે. ૩૦૪ 8883qP893838a888888888&88&&88888a8888 Jain Education International 888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy