SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકાકડા,સંસ્કાર, ખસખસ રણપદ્વ969, આ અભ્યાસમાં વિજય મેળવ્યા પછી તે જ બાણ કે ગોળીથી સાચા શત્રુને વીંધી કે ભેદી નાખે છે. આ જ પ્રમાણે આ મનોકલ્પિત ધ્યેય સંબંધે સમજવું. રૂપાતીતધ્યાન છે તે આત્મધ્યાન છે. તેમાં પહોંચવા માટે પ્રથમ રૂપવાળાં-સ્થૂળ ધ્યાન કરવાં તે ઉપયોગી છે. સ્થૂલ સિદ્ધ કર્યા વગર સૂક્ષ્મનિરાકાર રૂપાતીત-આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકે જ નહિ. આટલી પ્રસ્તુત ઉપયોગી વાત જણાવી. હવે મૂળ પ્રસંગ ઉપર આવીએ. પદસ્થધ્યાનમાં કેટલાએક પવિત્ર પદોનું ધ્યાન ક૨વાનું છે. પવિત્ર મંત્રો એટલે પરમાત્માના નામ સાથે સંબંધ ધરાવનાર મંત્રો. તેમનું ધ્યાન કરવું તે ધ્યાનને પદસ્થ કહેવામાં આવ્યું છે. P88888888888888888888888 8388888 સ્થૂળ રૂપવાળાં અને સમોવસરણમાં રહેલા સાક્ષાત્ સજીવનમૂર્તિ તીર્થંકરોનાં શરીરો કે તેમની ધાતુ-પાષાણાદિની મૂર્તિઓ, તેઓને ધ્યેય તરીકે રાખી, મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થધ્યાન છે. અને જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ રૂપાદિ લક્ષણો નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઈ તેમાં મનોવૃત્તિના અખંડ પ્રવાહને ગાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીતધ્યાન છે. હવે તે પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે. પિંડસ્થ ધ્યેયની પાંચ ધારણા पिंडस्थे पंच विज्ञेया धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तत्त्वभूस्तथा ॥१३८॥ પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂપિંડસ્થ ધ્યેયની આ પાંચ ધારણા જાણવી. ŽZUAKRUZUKUZURUZUKURUZUKUKURUZUKURUTURETERY JOU ૨૦ Jain Education International 88888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy