SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 999999989રમ્,GSSS959,88, આશા એ જ બંધન છે. એ જ વિક્ષેપ ઉત્પન્ન કરાવનાર છે. મન સ્થિર ન થવા દેનાર આ આશા જ છે. સર્વ આશાઓના ત્યાગ કરનારને આત્મજ્ઞાન ઉત્પન્ન ન થાય તો પરમાત્મા તેનો સાક્ષી છે. મતલબ કે સર્વ પ્રકારની આશાનો ત્યાગ કરનાર અવશ્ય આત્મજ્ઞાન પામે છે. કેટલાએક મનુષ્યો નાના પ્રકારના ચમત્કાર કે સિદ્ધિઓ મેળવવાની આશાએ ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરે છે, પણ તે સાધકને ખબર નથી હોતી કે આ આશા એ જ મલિનતા છે. આશાના વિચારોથી અનેક પ્રકારના વિક્ષેપો મનમાં ઘોળાયા કરે છે. જ્યાં સુધી આટલી કે આવી પણ આશા મનમાં છે ત્યાં સુધી મન સ્થિર થતું નથી. અને તે સ્થિરતાના અભાવે આગળ વધી શકાતું નથી. તેમ થતાં નથી થતું આત્મધ્યાન કે નથી મળતી સિદ્ધિઓ. એટલે ઉભયભ્રષ્ટ થવાય છે. સિદ્ધિઓની આશા રાખવી તે નકામી છે. તેમનો સ્વભાવ જ એવો છે કે ઇચ્છા કરશો એટલે તે દૂર ભાગશે. લાયકાત આવ્યા સિવાય ઉત્તમ શક્તિ આવતી નથી, માટે ઇચ્છારહિત થઈ જવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની ઊંડા અંતરમાં પણ આશા કે ઇચ્છા છુપાયેલી ન હોય તે જ લાયકાત મેળવવાનો માર્ગ છે. માનપાનની, મત-પંથ ચલાવવાની પણ ઇચ્છાઓ છોડ્યાથી જ આત્માના માર્ગમાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી ઇચ્છા, આશારૂપી દુર્ગંધ હૃદયમાં ઉછળ્યા કરે છે ત્યાં સુધી આત્મારૂપ મહારાજાના મહેલમાં તો શું પણ તેના આંગણામાં પણ પ્રવેશ કરવાનો અધિકાર નથી. સર્વ ઇચ્છાઓનો ત્યાગ એ જ આત્મમહેલમાં પ્રવેશ કરવાનું મૂળ દ્વાર છે. આ સિવાય બીજું કોઈ સાધન આત્મગુણ પ્રગટ કરવાનું નથી એ ચોક્કસ ધ્યાનમાં રાખશો. 88888888 \3\888888888*&?& ČTUJUKUKUKURUZUKURERERERURUKUTERURURUKERERE LEG For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy