SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ SBOBRZERKIBBEBUBBBBBBBBBBBBBBBBBS zl lol EIUSI 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે. કેટલાક પ્રસંગોમાં કર્મના ઉદયને લઈ, જ્ઞાનદશાવાળાને પણ ભૂલાવો ખવરાવી જાગૃતિ ભૂલાવી દે તેવું પ્રબળ બળ કુસંગનું થઈ પડે છે. એટલે અસંગ રહેવાનો ગુણ ધ્યાન કરનારમાં હોવાની જરૂરિયાત છે. ૧૯. વૃદ્ધની સેવા કરનાર : વૃદ્ધ મનુષ્યો ઘણા અનુભવી હોય છે. તેઓ આ દુનિયામાં-આ જન્મમાં-વહેલા આવેલા હોવાથી તેમણે ઘણો અનુભવ મેળવેલો હોય છે. ઘણી આફતો કે વિપત્તિઓમાંથી તે પસાર થયેલા હોય છે તેમના પહેલાંના મનુષ્યો તરફથી પણ તેમને ઉપયોગી સૂચનાઓનો વારસો મળેલો હોય છે. એટલે તેમની સેવા કરનાર માણસને એ ઉપયોગી શીખામણો કે સારી સલાહો તે આપી શકે છે. વિશેષ એટલો છે કે એકલા વયોવૃદ્ધ માણસમાં આ સર્વ ગુણ હોતા નથી પણ સાથે તેઓ જ્ઞાનવૃદ્ધ હોવા જોઈએ. પોતાનું ભલું કરવાની લાગણી છે ત્યાંથી આગળ વધવાની અને સત્ય મેળવવાની લાગણીવાળા તે હોવા જોઈએ. તે પણ એકલી લાગણી કરીને બેસી રહેનારા ન હોવા જોઈએ, પણ સાથે જાતમહેનતથી અનુભવ લેનારા હોવા જોઈએ. એકલા ઉંમરમાં વૃદ્ધ માણસો તો એવા પણ હાલ દેખાય છે કે છોકરાં કરતાં પણ તુચ્છ બુદ્ધિવાળા અને “સાઠે બુદ્ધિ નાઠી” - આ કહેવતને ધારણ કરનારા હોય છે. તેમની સોબતથી તો કાંઈ મળતું નથી, પણ વયોવૃદ્ધ સાથે જ્ઞાનવૃદ્ધ, વિચારવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હોય તેવાઓની સેવા કરનાર મનુષ્ય ઘણી અગત્યની ઉપયોગી બાબતોની માહિતી ધરાવતો હોવાથી ધ્યાનમાં તેને સરળતા થવા સાથે સારો ફાયદો થાય છે. ૨૦. નિરાશ : ધ્યાન કરનાર કોઈ પણ પ્રકારની આ લોક કે પરલોક સંબંધી આશા-ઇચ્છા-રહિત હોવો જોઈએ. BUBURBRUIKBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRSBOBEZBRUBBBBBBBBBBBBBBEEBIS RCCBPBBBBBBBBBUROBOROBOREBBERBOGBBBBBBBBBBBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy