SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ allot EIROS, PERO BERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBER 788888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે સ્થિતિમાં તો વિશેષ ઉપયોગી છે. પૂર્વના સંસ્કારોને લઈ પ્રસંગે ભાન ભૂલાવવાનો ઘણો સંભવ છે. વ્યવહાર પ્રસંગને વધારવાનું નિમિત્ત છે. કામચેષ્ટાનો સ્પર્શ પણ આત્મસ્થિતિનો પ્રતિબંધક છે. ખરી આત્મસ્થિતિ તો અકામ થવાથી જ થઈ શકે છે. કામની સ્થિતિને ભોગવી નાખવાથી એટલે તેને ઓળંગી જવા પછીથી જ આત્મશાંતિ મળી શકે છે. ઉત્તમ ધ્યાનની શરૂઆત કરવા ઈચ્છનાર જીવોમાં આ કામની સ્થિતિ મંદ થઈ જવી જ જોઈએ. કામની પ્રબળ વાસના હોય ત્યાં સુધી નંદિષેણ અને આદ્રકુમારાદિની માફક ઉત્તમ આત્મશાંતિ મળી શકતી નથી, તેનો પ્રબળ વેગ ભોગવી લીધા પછી જ આ માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. અને છે સહેજસાજ અનિકાચિત ઉદય હોય તો તે સત્સંગથી તથા આત્મધ્યાનથી નાશ પામે છે. ૧૮. નિઃસંગ : ધ્યાન કરનારે મનુષ્યોના વિશેષ સંસર્ગમાં-સંબંધમાં ન આવવું જોઈએ. જ્ઞાની પુરુષોના સમાગમમાં તો અવશ્ય રહેવું જોઈએ. પણ અહીં જે નિષેધ કરવામાં આવ્યો છે તે કુસંગનો નિષેધ કર્યો છે. જેનો સંગ કરવાથી સંસારની ભાવના ઉત્પન્ન થાય, હું આત્મઉપયોગ ભૂલાય તે કુસંગ છે. સત્સંગ ન મળે તો એકલા રહેવું, નિર્જન પ્રદેશમાં રહેવું. પણ કુસંગમાં તો ન જ રહેવું અથવા પોતે ગમે તેવા મનુષ્યના સંબંધમાંથી ગુણ ગ્રહણ કરી શકે છે, કે નવું શીખી શકે છે તેવી જાગૃતિમાં આવ્યો હોય, એટલો આત્મગુણ પ્રગટ થયો હોય, પોતે ન લેવાતાં આગળ જ વધી શકે તેમ છે તેવી ખાતરી થતી હોય તો પછી તેને બાધ નડતો નથી તથાપિ શરૂઆતમાં તો કુસંગથી તદ્દન અળગા રહેવું તે જ યોગ્ય છે 89838BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUXO GROBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBBBUROBOROBERCO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy