________________
જીલ્લ9R9aM9R9RBR"ખહીતી󱚺 યાન દીપિકા
રક્ષણ કરવું એ જ ખરી રીતે બ્રહ્મચર્ય છે. તેનાથી ઉપયોગની જાગૃતિ પ્રબળ રહે છે. શરીર નીરોગી રહે છે. લાંબા વખત સુધી એક સ્થળે ધ્યાનમાં બેસી રહેવાનું કામ તેને સહેલું થાય છે, બુદ્ધિ વિકાસ પામે છે, અને તે વીર્યનો વ્યય ધ્યાનની ગરમીમાં થાય છે. વીર્યબદ્ધતા વિનાના જીવો ધ્યાનની ગરમીથી કે વધારે વિચાર કરવાથી મગજશક્તિ ખોઈ બેસે છે. વિચારોની અસર મગજ ઉપર મજબૂત થાય છે. તે જો બદ્ધવીર્ય હોય તો તે વિચારોની અસર હદથી વધારે મગજ ઉપર થતી નથી. મગજના માવાનો જે ક્ષય થાય છે તેની જગા આ વીર્યની ઘટ્ટતા પૂરે છે એટલે મગજ બગડતું કે લથડતું નથી. નહિતર મગજનો દુખાવો, ચકરી કે મગજની નબળાઈ માલૂમ પડ્યા વિના રહેતી નથી. માટે બ્રહ્મચર્યના રક્ષણની ધ્યાનમાં ખાસ જરૂર છે.
*848&&&&&&88&888888o
૧૬. પવિત્ર હૃદય : ધ્યાનમાં હૃદયની પવિત્રતા ઉપયોગી છે. વિષયવાસનાની અપવિત્રતા કે કોઈનું બૂરું કરવાની ઇચ્છા અથવા બદલો લેવાની કે વ્યવહારિક માનપાનાદિકની ઇચ્છા ઇત્યાદિ કારણોથી થતી હૃદયની અપવિત્રતા ચિત્તને ધ્યાનમાં ઠરવા દેતી નથી. પણ ઊલટું દુર્ધ્યાન વધારે છે. મનની એકાગ્રતાનો પ્રવાહ કર્મક્ષય કરવાને બદલે, હૃદયની અપવિત્રતાને લીધે ઊલટો દુર્ધ્યાન વધારી મૂકવા તરફ ફેલાય છે, જેના પરિણામે મનમાં આર્ત્તરૌદ્રધ્યાન સ્ફુરવા માંડે છે માટે હૃદયપવિત્રતાની ખાસ જરૂરિયાત છે.
૧૭. સ્ત્રી અને કામચેષ્ટાનો સ્પર્શ નહિ કરનાર ઃ સ્ત્રીનો સ્પર્શ કરવો તે કામઉત્પત્તિનું કારણ છે. ત્યાગમાર્ગમાં સ્ત્રીનો સ્પર્શ ન ક૨વાનો મજબૂત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે સકારણ છે તથા ઉપયોગી પણ છે. શરૂઆતની
૨૯૬ 88888888883349R9a9aaGa9c9w8w8w888888
8888888888888888
Jain Education International
8888
For Private & Personal Use Only
www.jainelibrary.org