SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ezl lol EITUSI PERPUEBRERUPEBERBERE BUREAUBERBER SSBBBBURUBREBERUBOBEBUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGRUBERGBEBERG તરફ આત્મબુદ્ધિ કરી તેમને જરાપણ પોતાના તરફથી નુકસાન ન થાય તેમ વર્તવું. ૧૩. સત્ય બોલનાર : ધ્યાન કરનાર સત્યવક્તા હોવો જોઈએ. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતા જીવોમાં અસત્ય, છળ, પ્રપંચ, દંભ, ઇત્યાદિ દુર્ગુણો હોવા ન જ જોઈએ અને હોય તો પછી તે ધ્યાન શા માટે કરે છે ? અથવા તે ધ્યાન હું કરીને શું મેળવવા ઇચ્છે છે ? કારણ, તેનો પ્રયાસ કેવળ પરિશ્રમમાત્ર જ છે. ૧૪. દત્તભોજી : આપેલું ભોજન કરનાર. આ વચન ત્યાગીઓને ઉદ્દેશીને કહેલું છે. પ્રથમ જ કહેવામાં આવ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં ધ્યાન અપવાદ તરીકે હોય. બાકી તો ત્યાગમાર્ગમાં જ વિશેષ પ્રકારે ધ્યાન હોય છે, એટલે તે ત્યાગી વ્યવહારના પ્રપંચમાં ફસાયેલો ન હોવો જોઈએ. મધુકરી વૃત્તિથી ગૃહસ્થનાં ગૃહોથી આહાર લાવી, યથેચ્છાએ તેઓએ આપેલો હોય તે લાવી, નહિ કે તેને રંજાડી, ભાંડી, દુઃખી કરીને લાવેલો હોય, તેવા આહારથી શરીરનું પોષણ કરનાર હોવો જોઈએ. આ કહેવાથી આહાર માટે પણ નિશ્ચિતતા ધારણ કરનાર, આટલો પણ વિક્ષેપ નહિ ધરાવનાર મનુષ્ય સહેલાઈથી ધ્યાન કરી શકે છે. તે સિવાય બીજી કેટલીક મુશ્કેલી ઉભી થવા સંભવ છે. ૧પ. બ્રહ્મચારી : ધ્યાન કરનાર જીવ બ્રહ્મચર્ય ધારણ કરનાર હોવો જોઈએ. બ્રહ્મચારી એટલે બદ્ધવીર્યવાળો હોવો જોઈએ. વીર્ય એ શરીરનો રાજા છે. તે જેટલું મજબુત અને કબજામાં હોય છે તેટલું જ ધ્યાન મજબૂત અને વધારે થાય છે. વીર્યના ક્ષયવાળા જીવોનાં શરીરો નિર્માલ્ય હોય છે. તેઓ બ્રહ્મચારી હોય છતાં પણ ધ્યાનને લાયક નથી. વીર્યનું છે 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 SBOBEBUBURBBBBEGREBSBERUBBBBBBBBBBBBBBBBD RC4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy