SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 33BBBBBBBBBBBBBBBBBB 8888888GBBBBBS Calon EINSI P828/82848888888888888888888888888888888888888888888888888888888888888888888 ૨૧. કષાયરહિત થવું : આત્મધ્યાન કરનાર મનુષ્ય ક્રોધ, માન, માયા, લોભરૂપી કષાયોને જરા પણ સ્થાન કે આદર ન આપવો, પણ આત્મગુણમાં મદદ કરનાર ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષરૂપ મિત્રોને બોલાવીને સદા પાસે રાખવા. સર્વ જીવો આત્મા સમાન છે. ત્યાં ક્રોધ શાનો ? માન કોનાથી ? માયા શા માટે ? અને લોભ કઈ બાબતનો કરવાનો બાકી રહે છે ? આત્મસ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી, ત્યાં કષાયોને નિમંત્રણ આપવાનો અવકાશ ક્યાં છે ? તે પ્રદેશમાં તેમનો પ્રવેશ જ નથી. અને જ્યાં તેમને પ્રવેશ છે ત્યાં આત્મજ્ઞાન જ નથી. પ્રકાશ અને અંધકાર સમાન આત્મજ્ઞાન અને ક્રોધાદિક કષાય પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, ત્યાં એકની હયાતીમાં બીજાની પ્રાપ્તિની વાત જ શા માટે કરવી જોઈએ ? ૨૨. જિતેન્દ્રિય થવું ઃ ઇંદ્રિયોના વિષયો તરફ દૃષ્ટિ આપનાર-મન દોડાવનાર-આત્મધ્યાન કરી શકે નહિ. મન ઇંદ્રિયોને પ્રેરે છે, ઇંદ્રિયો બહારના વિષયોનો પ્રકાશ મનને પહોંચાડે છે : એમ અન્યોન્ય વિક્ષેપ પામેલાં મન ઇંદ્રિયો બહારના ઈષ્ટ અનિષ્ટ પુદ્ગલોનો ગ્રહણ-ત્યાગ કરી, તેમાં રાગદ્વેષ ઉત્પન્ન કરીને આત્મા ઉપર વધારે આવરણ ચડાવે છે. ધ્યાનથી આવરણ ઓછાં કરવાનાં છે, તેને બદલે આથી વધારો થાય છે. એટલે ઇન્દ્રિયોના વિષયો ધ્યાનમાં મદદગાર નથી, પણ વિઘ્ન કરનાર છે તેમ સમજી ઈષ્ટનિષ્ટ ઇન્દ્રિયોના વિષયો તરફ લક્ષ ન આપવું. અર્થાત્ ઇષ્ટનિષ્ટ વિષયોમાં રાગદ્વેષ ન થાય તે રૂ૫ જિતેંદ્રિય થવું. તેથી જ ધ્યાનમાં સ્થિરતા થાય છે. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB%888/808BBBVR BUBURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBS 300 BBBBBBBBBBBBBBBBBBBBDOBBERUBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy