SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888ાનદીપિકા છછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ%9 ૫, ૬, ક્ષીણમોહ અને ઉપશાન્ત મોહવાળા ધ્યાન કરી શકે. આ કહેવાનો આશય એવો છે કે મોહની પ્રબળ સત્તાનો ક્ષય થયો હોય અગર ઉપશમ થયો હોય તો જ ધ્યાન બની શકે છે, જ્યાં મોહની પ્રબળતા હોય ત્યાં ધ્યાનનું નામ પણ સંભવતું નથી. જ્યારે મોહ મંદ થાય છે ત્યાં સંસારનાં સાધનોથી વિરક્તતા આવે છે, ત્યારે આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે, એ જ ખરું કર્તવ્ય છે તેમ સમજાઈને તે મેળવવા માટે પ્રબળ ઇચ્છા થાય છે ત્યારે જ ધ્યાન સંભવે છે. માટે મોહનો ક્ષય કે ઉપશમ થવો જ જોઈએ. આ ક્ષય કે ઉપશમ જે કહેવામાં આવ્યો છે તે ગુણસ્થાનકની ભૂમિકામાં શરૂઆતમાં જેટલો થવો જોઈએ તેટલા માટે જ કહેવામાં આવ્યું શું છે, પણ સર્વથા ક્ષય થયો હોય એમ કહેવાનો આશય નથી. જો સર્વથા ક્ષય થયો હોય તો પછી ધ્યાનની જરૂરિયાત જ રહેતી નથી. સર્વથા ઉપશમ અગિયારમે ગુણઠાણે હોય છે અને ક્ષય બારમા ગુણઠાણે થાય છે. પછી તરત જ તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થાય છે. માટે જે જે ગુણઠાણે જે જે જાતનું ધ્યાન ઉપયોગી છે તે તે ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે મોહનો ક્ષય કે ક્ષયોપશમ હોવો જોઈએ. ૭. અપ્રમાદી : પ્રમાદ વિનાના મનુષ્યો ધ્યાન કરી તે શકે છે. મદ (અહંકાર), વિષય, કષાય, નિદ્રા, આળસ, ઇત્યાદિ પ્રમાદ છે. તેનાથી જે અલગ થયેલ હોય અગર નિદ્રાપ્રમુખને અમુક મર્યાદામાં રોકી શકનાર હોય તે ધ્યાન કરી શકે છે. ૮. શુદ્ધસમ્યક્તવાન : સમ્યગ્દષ્ટિવાળા જીવને ઉત્તમ ધ્યાન હોય છે. આત્માના અસ્તિત્વના હોવાપણા વિષે દઢ . નિશ્ચયવાળાને શુદ્ધ સમ્યગ્દર્શન હોય છે. પરોક્ષ રીતે પણ છે BORBORUBBBBBBBBBBBBBBBBBBBBBBURUBURBRORUBERURUBBBBBURUBVBERUBRUBBBUBUB ૨િ૯૨ છ888888888888888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy