SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ટરિસ્ટન89R99Yમ્સની સંખયાનદીપિકા અંકુરો જેટલા પણ જ્ઞાનવૈરાગ્યાદિ ગુણો જીવોમાં પ્રગટ થયા હોય તો પછી ધ્યાનાદિની મદદથી તે ગુણો અનુક્રમે સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટી શકે છે. અર્થાત્ પ્રથમ યોગ્યતાના ગુણ આવ્યા પછી આત્મગુણો ઘણી સહેલાઈથી પ્રગટ થાય છે. ૧. પ્રથમ જ્ઞાન ગુણ જોઈએ. સામાન્ય રીતે પોતે કોણ છે ? પોતાને શું પ્રાપ્ત કરવું છે ? તે પ્રાપ્ત કરવા લાયક વસ્તુ ક્યાં છે ? કેવાં કારણો મેળવવાથી તે પ્રાપ્ત થઈ શકે છે ? તે પ્રાપ્ત ન થવામાં શાં શાં અંતરાયભૂત કારણો છે ? આજ સુધી તે વસ્તુ પ્રાપ્ત થઈ નથી તેનું કારણ શું છે ? વગેરે બાબતોનું જ્ઞાન પ્રથમ મેળવી લેવું જ જોઈએ. આટલી જ્ઞાનપ્રાપ્તિરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ હોય તો પછી તે મનુષ્ય ધ્યાન ઉપયોગી થઈ શકે છે. ૨. વૈરાગ્ય : જે વસ્તુ મેળવવી છે તેના તરફ પૂર્ણ પ્રીતિ થવી જોઈએ. અને તે સિવાયની વસ્તુઓમાં વિરક્ત દશા કેળવવી જોઈએ. તેમ ન હોય તો પછી તે વસ્તુ મેળવવાની યોગ્યતા હજુ આવી નથી તેમ જ સમજવું જોઈએ. વ્યવહારમાં પણ એવો નિયમ અનુભવાય છે કે જે વસ્તુની ઇચ્છા હોય છે તે વસ્તુ મેળવવા માટે મનુષ્યો પોતાનાં બીજાં બધાં કાર્યોનો ભોગ આપી દે છે અને અહોનિશ તે વસ્તુ મેળવવા માટે વિચાર તથા પ્રવૃત્તિ રાખ્યા જ કરે છે, તે વસ્તુને જ મુખ્ય કર્તવ્ય તરીકે સમજી બીજાં બધાં કર્તવ્યોને ગૌણ સમજે છે ત્યારે જ તે વસ્તુ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે જે વસ્તુ મેળવવી છે તે જ મુખ્ય કાર્ય માની અહોનિશ દરેક ક્ષણે તેનું જ રટણ રાખવું. તેના ઉપર જ પ્રીતિ રાખવી. સંપૂર્ણ લાગણી તેમાં જ હોવી જોઈએ. તે સિવાયનાં બધાં કાર્યો અસાર, નિર્માલ્ય સમજવાં જોઈએ. તેનું નામ જ વૈરાગ્ય RCO PURERERETETERERERERETETERERETETERERERERERER Jain Education International a888888888888 8a8888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy