SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 388888888888888888888388888888&88888&&& 838,8888888888 SSS SaaSSGSY સમુ ધ્યાન દીપિકા માટે અનેક ઉપાયો કરતાં કાળાંતરે કોઈ ઉપાય ચોક્કસ લાગુ પડી જાય છે. વળી ભાવના વડે મનને સંસ્કારિત કરવાનું કારણ એમ પણ છે કે સંસારની અનિત્યતા, અશરણતા, વિષમતા વિગેરેના સંસ્કારો મજબૂત રીતે મન પર પડ્યા હોય તો વિષયો તરફથી તેમન ઘણી જ સહેલાઈથી પાછું ફરે છે અને પાછું ફર્યા પછી પણ તે વિચાર વિનાનું તો રહી શકતું નથી. કારણકે મનને ઘણા કાળનો વિચાર કરવાનો દૃઢ અભ્યાસ પડેલો છે. એટલે તેને આત્મસ્વરૂપના ચિંતનમાં ગોઠવવાથી સંસારની વસ્તુઓથી વિરક્ત થયેલું મન ઘણી સહેલાઈથી આત્મચિંતનમાં પ્રવેશ કરશે અથવા કાંઈક સમભાવ આવવાથી અને આત્મચિંતન તરફ તેનું વલણ થયેલું હોવાથી મનની શુદ્ધિ સારી રીતે થઈ શકે છે અને તેવા મનમાં ભાવના ઘણી સહેલાઈથી દૃઢ સંસ્કાર સ્થાપિત કરે છે. આમ અન્યોન્ય આશ્રયથી પણ મનશુદ્ધિમાં વધારો થવા સંભવ છે. આશય એવો છે કે ગમે તે પ્રકારે પણ મનની શુદ્ધિ તો કરવી જ પડવાની અને તે શુદ્ધિ જ ધ્યાનમાં વધારે ઉપયોગી થઈ પડવાની. ૬. ભાવનાઓ બતાવે છે. भावना द्वादशैतास्ता अनित्यादिकताः स्मृताः । ज्ञानदर्शनचारित्रं वैराग्याद्यास्तथा पराः ॥७॥ અનિત્યાદિક આ ભાવનાઓ બાર કહેલી છે તેમ જ બીજી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય આદિ ચાર ભાવનાઓ પણ કહેલી છે. ૭. ૨૮ P8888888ર9ર8888888asa8888888/2 Jain Education International For Private & Personal Use Only 8a8a8a 888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy