________________
421lot Elfüs
ASKEBERSABABBBBBPYZBZBBBBBBBB.RS
CZYBORURGBUBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURG
મનમાંથી અનાત્મ જડ જગત સંબંધી વિચારી દૂર કરી હું તારા આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવાનો
મનને અભ્યાસ પાડ અને મનની શુદ્ધિ કરીને ચિત્તને ભાવના વડે વાસિત કર.
સર્વ જીવો ઉપર સમભાવ રાખવાથી અને આત્મસ્વરૂપનું ચિંતન કરવાની ટેવ પાડવાથી મનઃશુદ્ધિ થઈ જ જશે; છતાં આ બે ઉપાયો ઉપરાંત બીજા પણ અનેક ઉપાયો છે કે જેથી કરીને મનની શુદ્ધિ થાય છે, એમ તારા જાણવામાં હોય તો તે, અગર કોઈ જ્ઞાની પુરુષો પાસેથી બીજા જે કોઈ ઉપાયો મળે તે ઉપાયોએ કરીને પણ તું મનની શુદ્ધિ કરે અને તું કંઈક શુદ્ધ થયેલા મનને ભાવના કે જે આગળ બતાવવામાં આવશે તે વડે તું વાસિત (સુગંધિત) કર. | સર્વ જીવોમાં સમભાવ રાખવો, આત્મસ્વરૂપનું ચિંતન શિ કરવું અને મનની શુદ્ધિ કરવી; તે એક એક ઉપાય એટલો બધો મજબૂત છે કે મનને આત્મસ્થિતિમાં લીન કરાવી દે તેમ છે, તો પછી ભાવના વડે ચિત્તને વાસિત (સંસ્કારિત) કરવાનું શું પ્રયોજન હશે ? આ શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે અને તેનું સમાધાન આમ કરી શકાય તેમ છે કે અચોક્કસ સ્થિતિવાળા અમજબૂત સંસ્કારો ગમે તે જાતના પાડો પણ તેનું સંગીન ચોક્કસ સ્થિતિવાળું પરિણામ આવતું નથી પણ એકાદ દઢ મજબૂત સંસ્કાર ઘણી પ્રબળતાથી મન ઉપર પાડવામાં આવ્યો હોય તો તેની અસર કાયમને માટે મજબૂત પડી રહે છે અને તેવી સ્થિતિવાળા માટે આ સર્વમાંથી એક પણ ઉપાય મનને વિશુદ્ધ કરવા માટે પૂરતો છે, તે સિવાયનાને
Babel B2BRURURURGRUBUBORESCRUBBERURUBUBUBBBBBBBURURUBBBURUPURRURUBUEURS
BBSESRIBBBBBBBRURUSZUBBBBBBBBBBBBB.ID/BEBE 29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org