SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBB3B/BPSBB/BB10313232BBBBBBBBBB cailoEllusi 8888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે મનને લઈને જ ઊભી થાય છે અને મનની મહેરબાનીથી જ જન્મમરણનો નાશ થાય છે. માટે મનને કેળવવાની યોગ્ય માર્ગે લગાડવાની-પૂર્ણ જરૂર છે. ગુરુ મહારાજ કહે છે કે હે શિષ્ય ! આ મનને તું સર્વે પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખતાં શીખવ. સમભાવ તે રાગદ્વેષ સિવાયની નિલેપ સ્થિતિ છે. આ સર્વ જીવો પોતાના સરખા જ છે. આત્મસત્તાએ વિચાર કરતાં કોઈ જીવ નાનો મોટો ઓછી-વધારે નથી. જેવું તને સુખ વહાલું અને દુઃખ અનિષ્ટ છે તેવું જ સર્વ જીવોને પણ છે; માટે સર્વ જીવો ઉપર સમદષ્ટિ રાખ કહ્યું છે કે – अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ॥ (अष्टक) કર્મના વિષમપણાનો વિચાર ન કરતાં જ્ઞાનના અંશની સાથે મેળવતા યા વિચાર કરતાં આ જગતના સર્વ જીવો એકસરખા છે, એમ વિચાર કરી જે મનુષ્ય સર્વ આત્માઓને પોતાની સાથે અભેદપણે જુએ છે, તે સમભાવની સ્થિતિવાળો હું મનુષ્ય મોક્ષે જનાર છે. આથી એમ જણાય છે કે કર્મની વિષમતાથી (વિચિત્રતાથી) ભિન્ન ભિન્ન, નાનું-મોટું, સારું-નઠારું આ જગત દેખાય છે પણ તે જીવોની અંદર સત્તારૂપે રહેલ આત્મસ્વરૂપની સાથે સરખામણી કરવામાં આવે તો રાગદ્વેષની પરિણતિવાળું વિષમપણું દેખાતું નથી, કારણકે આત્મસ્વરૂપ સર્વ જીવોનું એકસરખું જ છે એટલે દેહદૃષ્ટિ મૂકી દઈ સર્વ જીવોને તું આત્મસ્વરૂપે જોયા કર તથા હે શિષ્ય ! ચિત્તને વિષે તારા શુદ્ધ આત્મસ્વરૂપનો જ તું વિચાર કર. BBBBBBBRUIXABBBBBBBBVZUSURBRUZUPERBRUIKEURBRUBURBRUIKBUBBBBBBBBBBBBRBIK:BROS e B&BBBSZEBBRSBURBURGRUPURUZBORUSCOBUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy