SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા :99.99 SAASAAAAS, અસ્તિકાયમય, આદિ અંત વિનાનો લોક છે એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે, તેના નામાદિ ભેદનો તથા અધોલોકાદિ ત્રણ પ્રકારના ભેદનો વિચાર કરવો. 38/38338888888 88938 88888888 *3/833: ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા-આ છ દ્રવ્યો છે. તેના લક્ષણોનો વિચાર કરવો. તેમાં ધર્માસ્તિકાય જીવોને ચાલવાને મદદ આપે છે. જેમ અંધારામાં ચાલવાવાળા દેખતા માણસને દીવો મદદ આપે છે. અધર્માસ્તિકાય પૃથ્વીની માફક જીવ પુદ્ગલોનો સ્થિર રહેવાની મદદ આપે છે, ખાલી ઘડામાં પાણી આદિ પદાર્થોને જેમ અવકાશ મળે છે, તેમ જીવ પુદ્ગલોને જતાં આવતાં આકાશ અવકાશ આપે છે. કાળ નવાંજૂનાં બનાવે છે. પુદ્ગલ વૃદ્ધિહાનિ પામે છે. આત્મા એ તત્ત્વસ્વરૂપ-સર્વ પદાર્થોનો જોનાર-જાણનાર છે, ઇત્યાદિ લક્ષણોનો વિચાર કરવો. સંસ્થાનનો વિચાર કરવો. છએ દ્રવ્યની આકૃતિઓનો વિચાર કરવો. દશ્ય-જડ પદાર્થની આકૃતિ બને છે. તેના સમચોરસ, લાંબા, ગોળ આદિ અનેક આકારો છે. ધર્માસ્તિકાય અરૂપી વસ્તુઓ આખા લોકમાં વ્યાપી રહેલી છે. તેવી તેની આકૃતિ કલ્પવી. આ લોક નીચે ઊંધા વાળેલા રામપાત્રને આકારે છે, વચમાં ઝાલરને આકારે છે અને અંતમાં મૃદંગને આકારે રહેલો છે. તેમાં વ્યાપી રહેલા ધર્માસ્તિકાયાદિ તે તે આકારે ચિંતવવા, અથવા ગૃહાદિમાં રહેલા તે ધર્માસ્તિકાયાદિનો ગૃહાદિ આકાર પ્રમાણે વિચાર કરવો. આત્મા દેહમાં રહેલો હોય ત્યાં સુધી તેનો આકાર દેહ પ્રમાણે છે એટલે દેહવ્યાપી સમજવો. દેહરહિત આત્મા જ્ઞાનસ્વરૂપે લોકાલોકના સંસ્થાન આકારે કલ્પવો. કાળ ઔપચારિક વસ્તુ હોવાથી તેનો આકાર નથી. 398,888888888/88a8a8a8a8a8a8a8a8a8a8a8a8a ૨૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy