SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ GIBSOREIBBGBBBBBBBBBBBBUREBBERGEBERE, zlo Elfosi 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888M કાયમ જ છે, તો હર્ષ શોક શા માટે કરવો ? જે પ્રસંગે જે વસ્તુ મળે છે તે પ્રસંગે પણ તેને હર્ષ નહિ થાય, કારણ કે તેની દષ્ટિ સર્વ દેશ, કાળ તરફ કે પદાર્થ તરફ વિકાસ પામી છે તેથી તે એમ જ સમજે છે કે આ પદાર્થ અમુક સ્થળ, અમુક કાળ અને અમુક આકૃતિને બદલાવીને અન્ય સ્થળેથી છે અહીં આવ્યો છે અને અહીંથી પણ આ આકૃતિને અમુક વખત પછી બદલાવશે જ. તે સાથે કોઈ પણ સ્થળ કે કાળમાં તેના મૂળ દ્રવ્યનો-અણુનો કે જીવનો નાશ તો થવાનો જ નથી. આમ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કે વિયોગ વખતે ત્રણે કાળમાં દૃષ્ટિ લંબાવવામાં આવે તો તે વસ્તુના નિત્યપણા વિષે કે વિયોગવાળા અનિત્યપણા વિષે (દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાએ) મનની વિક્ષિપ્ત સ્થિતિ રહેશે નહિ. તે સાથે એક પોતાના અજ્ઞાન સિવાય આત્મા પણ સ્થળ કે કાળના પ્રતિબંધમાં આવી શકે તેવો છે નહિ. જો પોતાનું અજ્ઞાન હઠાવવામાં આવે તો આત્માને પણ કોઈ દ્રવ્ય, સ્થળ કે કાળનું બંધન નડવાનું નથી. આ સંસ્થાનવિચયના વિચારથી અનેક ફાયદાઓ થવા સંભવ છે. આગમમાં કહ્યું છે કે :जिणदेसियाई लखणसं ठाणासणविहाणमाणाई । उपायठिइभंगाइ पज्जया जे यदव्वाणं ।।१।। पंचथ्थिकायमइयं लोगमणाइनिधणं जिणक्खायं । नामाइभेयविहियं तिविहमहो लोगभेयाई ॥२॥ જિનેશ્વરે કથન કરેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આસન (આધાર), ભેદ, પ્રમાણ, ઉત્પત્તિ, સ્થિતિ, નાશ ઇત્યાદિ પયયોનો વિચાર કરવો તેમ જ પંચ 38BBBBBB233BBBBBBBBBBBBBBBBBBBBBBBBRORUERUBBERBEZBROBERGRUBUBBBSBOROBOS RCE BEBERGBORGBUBBBBBBBBGROZRUBURUDUBBBBBBBZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy