SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા 839GWK8ર0ર8તસ્કર®દદ RR,SSSB,GG આ લોક આદિ અને અંત વિનાનો છે. તેમાં રહેલા પદાર્થ અથવા તે પદાર્થ રૂપ લોક, તે (સ્થિતિ કાયમ રહેનાર) ઉત્પન્ન થનાર અને નાશ પામવાના સ્વભાવનો છે. તેની આકૃતિનો વિચાર જેમાં થાય છે તે સંસ્થાનવિચયધ્યાન કહેવાય છે. 88888888888388888 આ ધ્યાન કરવાનું કારણ બતાવે છે नानाद्रव्यगतानंत पर्यायपरिवर्त्तने 1 सदासक्तं मनोनैव रागाद्याकुलतां व्रजेत् ॥१॥ અનેક દ્રવ્યમાં રહેલા અનંત પર્યાયના પરાવર્તનમાં (ફેરફાર થતા પર્યાયોમાં) નિરંતર જોડાઈ રહેલું મન રાગદ્વેષાદિથી વ્યાકુળ થતું નથી. ભાવાર્થ : પુદ્ગલ કે ચેતન દ્રવ્યના પર્યાયાદિનો જાગૃતિપૂર્વક વિચાર કરતાં મન વિશ્રાંતિ પામે છે. અથવા રાગદ્વેષ હર્ષખેદથી આકુળવ્યાકુળ થતું નથી. કોઈ એક મનુષ્ય કે પદાર્થ ઉપર સ્નેહ હોય અને તેનો વિયોગ થતાં સામાન્ય રીતે મનુષ્યને ખેદ થાય છે અથવા તેવા પદાર્થો આવી મળતાં હર્ષ થાય છે. આ હર્ષ કે ખેદ, દ્રવ્ય પર્યાયનો પૂર્વાપર વિચાર કરનારને સંભવ નથી. ન હોવાનું કારણ એ છે કે તેની દૃષ્ટિ અમુક એક પદાર્થ નિયમિત સ્થળમાં રહેલામાં સંકોચાયેલી રહેતી નથી, પણ સર્વ પદાર્થમાં, સર્વ કાળમાં, સર્વ સ્થળમાં વિકાસ પામેલી, વિસ્તારાયેલી હોય છે. તેથી તેવા હર્ષખેદના પ્રસંગમાં તેને તો આ વિચાર થાય છે કે તે પદાર્થનો તો નાશ જ થતો નથી, ફક્ત તેણે આકૃતિ અને સ્થળ બદલ્યું છે. આ પદાર્થ આ સ્થળમાંથી, આ કાળમાંથી તેની આકૃતિને બદલીને બીજા સ્થળમાં, બીજા કાળમાં બીજી આકૃતિરૂપે તો 888888888 888888888«&TRIKE&888888888898 ૨૮૫ Jain Education International 8 &888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy