SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ callo EIRIS, BRUBBIGBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB KEBEBUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUDUBAS અનંતાનંત આકાશ જેની સર્વ બાજુએ આવી રહેલું છે ? તે લોક છે. જિનેશ્વર તે લોકને પોતાના જ્ઞાનમાં “નિત્ય છે' તેમ જોયેલો છે. આ લોક સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ હું પામનારા, ચૈતન્ય અને જડ પદાર્થોથી સંપૂર્ણ છે. તે અનાદિ સિદ્ધ છે, અને તે લોકમાં ત્રણ જગત રહેલું છે. ભાવાર્થ : સ્વભાવિક-વિનાપ્રયોગ-ઇચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારોને હઠાવવા માટે આ લોકસંસ્થાનનો વિચાર કરવાનો છે. લોકમાં પણ કહેવત છે કે ગરમી ગરમીનું ઔષધ થાય છે, તેમ વિચાર એ વિચારનું ઔષધ છે. વિચારથી વિચારો પાછા હઠાવાય છે. વિશેષ એટલો હ્યું છે કે આ વિચારો પોતે જાગૃતિપૂર્વક કે જાણી જોઈને કરાયેલા હોવા જોઈએ. તેવા વિચારો પણ રાગદ્વેષની ઉત્પત્તિ કરાવનારા ન હોવા જોઈએ પણ મનને સમાધાન-સમતોલ સ્થિતિમાં રાખનારા હોવા જોઈએ અથવા મનને વિરક્તિ પમાડી વિશેષ વિકારોથી ઉપશમ કરનારા હોવા જોઈએ અથવા વિચાર કરતાં આ લોક સ્થિતિમાં એક પણ પદાર્થ મનને આકર્ષણ કરી શકે તેવો નથી એવો નિર્ણય કરવા માટે પણ આ જ ધ્યાન ઉપયોગી છે. લોકનો વિચાર આ પ્રમાણે છે કે જેની સર્વ બાજુ અનંત આકાશ આવી રહેલું છે તેની વચમાં લોક રહેલો છે. લોકસંસ્થાનનો આકાર બે પગ પહોળા કરી દહીં વલોવવા ઊભા રહેલા પુરુષોની માફક, પણ હાથ બે કેડ ઉપર કોણીઓ બહાર પડતી રહે તેમ વાળી રાખેલા હોય તેવો છે. અને તેની ચારે બાજુ સઘળે આકાશ છે. તે લોક આકૃતિની અંદર ચૈતન્ય અને જડ પદાથો રહેલા છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને 8888888888888888888848888888888888888888888888888888888888888888888880808080 BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBGSGRUBERGBBBBBBBERC3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy