SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ llot EIUS, BUBURSABBBBBBBBBERSABBRABARBRORBBBB, HEBBBBBBBBBBBBBBBBBBBBBBBB BORBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUDUBBB વિકાસ પામતા નથી. દ્વેષરૂપ અગ્નિથી તપ્ત થયેલા જીવો આ લોકમાં તો દુઃખી થાય છે એટલું જ નહિ પરંતુ પરલોકમાં નરકાદિ ગતિ પામી મહાદુઃખનો તેમને અનુભવ કરવો પડે છે. જ્યાં સુધી વૈષનો તાપ હૃદયમાં હોય છે ત્યાં સુધી જ્ઞાનાદિ હું ગુણોની શાંતિ-શીતળતા પાસે પણ આવતી નથી. ક્રોધાદિ કષાયો મહાદુઃખના કારણભૂત છે. ક્રોધ પ્રીતિનો છે નાશ કરે છે, માયા મૈત્રીનો નાશ કરે છે, માન વિનયનો અને લોભ પ્રીતિનો, મૈત્રી વિનયાદિ સર્વ ગુણોનો નાશ કરે છે. નહિ નિગ્રહ કરેલ ક્રોધ, માન, માયા, લોભ સંસારરૂપ વૃક્ષના મૂલને પાણી સીંચીને પલ્લવિત કરે છે, જેનાં ફળો તરીકે ચારે ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. મિથ્યાત્વ, અવિરતિ અને યોગરૂપ બાકી રહેલ આશ્રવો તે પણ દુઃખનાં જ કારણરૂપ છે. મિથ્યાત્વથી મોહિત થયેલા આ જીવ આ લોકમાં જ અનેક પ્રકારનાં માનસિક દુઃખો અનુભવે છે, શાંતિપ્રમુખ ગુણોના અભાવે અનેક પ્રકારે તે વિહ્વળ બને છે, ક્રોધાદિથી પણ અજ્ઞાન એ મોટું દુઃખ છે. અજ્ઞાનથી જેના અંતર્થક્ષુ અંધ છે તેને કર્તવ્યાકર્તવ્યનું ભાન હોતું નથી. પાપથી નહિ પાછા હઠેલ, ઈચ્છાઓનો નિરોધ નહિ કરનારા ઈચ્છાનુસાર મનાદિ યોગોને પ્રવર્તાવનાર જીવો ઘણાં દુષ્ટકર્મો કરી પાપનો સંચય કરે છે, જેને લઈને શાંતિથી વિશ્રાંતિ લેવાનો વખત તે જીવોને મળતો નથી, ઇત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર જીવોને આવી પડતાં સંકટોનો વિચાર કરવો તે અપાયરિચય ધર્મધ્યાન કહેવાય છે. કહ્યું છે કે Jવ898908888888888888888888888888888888888888888888888888888888888888888888 BABBUBOBEIROSBUBBBBBBBBBBBBBBUBURBBBBBBBBBBBB294 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy