SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 68.888888U8R]સ્કમ્ફરમ્સ,ર3,988 ાનદીપિકા રાગદ્વેષ કષાય અને આશ્રવની ક્રિયામાં વર્તતા જીવોને આ લોક સંબધી તેમ જ પરલોક સંબંધી કષ્ટ-દુ:ખ પ્રાપ્ત થાય છે, તેનો સંસારના પરિભ્રમણથી ભય પામતા સાધુઓએ વિચાર કરવો. ભાવાર્થ : કોઈ પણ કાર્ય કરવાની ઇચ્છા થાય કે તરત જ તે કાર્ય પહેલાં તેનું ભાવિ પરિણામ શું આવશે તેનો વિચાર કરવો, અથવા કોઈ કાર્ય ક૨વાની હાલ તરત જરૂરિયાત ન હોય તથાપિ કોઈ તેવા પ્રસંગમાં પોતાથી કોઈ તેવી જાતની હલકી જાતની પ્રવૃત્તિ થઈ ન જાય તે માટે આગળથી જ મન ઉપર તેવા કાર્યનું પરિણામ શું આવે છે કે આવશે તેનો મજબૂત સંસ્કાર સ્થાપન કરી દેવો કે જેથી તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરતાં મનને અટકાવી શકાય, અગર તેવી પ્રવૃત્તિ કરવાના પ્રસંગે તેના ભાવિ ફળો નજર આગળ તરતાં હોવાથી અને મન ઉપર પણ તેના ભાવિ પરિણામોની ચોક્કસ અસર થયેલી હોવાથી પૂર્વાપર વિચાર કર્યા વિના કરાતી પ્રવૃત્તિ અટકાવી શકાય. આ માટે અપાયસંબંધી વિચાર કરવો તેનું નામ અપાયવિચય ધ્યાન છે. Jain Education International 38/3 For Private & Personal Use Only 2338888 8 રાગ, દ્વેષ, કષાય અને આશ્રવની ક્રિયાઓમાં વર્તતા આ જીવોને આ લોક અને પરલોકમાં નાના પ્રકારના કષ્ટો થાય છે, મજીઠની માફક રાગી જીવો વિવિધ પ્રકારના કષ્ટો સહન કરે છે, મહાન વ્યાધિથી ઘેરાયેલા મનુષ્ય કુપથ્ય અન્નના અભિલાષથી જેમ રોગમાં વધારો કરે છે, તેમ રાગી મનુષ્ય દીર્ઘ સંસાર પરિભ્રમણમાં વધારો કરે છે. દ્વેષરૂપ દાવાનળ જ્ઞાનાદિ ગુણરૂપ વૃક્ષોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વૃક્ષના મૂળમાં-કોટરમાં-૨હેલો અગ્નિ જેમ વૃક્ષને નવપલ્લવિત થવા દેતો નથી, તેમ દ્વેષરૂપ અગ્નિ જેમના હૃદયમાં વસે છે તેઓના સમ્યક્ત્વાદિ ગુણો કોઈ પણ રીતે ૨૭૪ 888888888a88R38K9w8fs&$339&E*88888888 888 888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy