SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 21 lot EITUSI PUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEEBERBR. 888888888888BET8888888888888888888888888888888888888888888888888888888 झ्झाणपडिवतिक्रमो होइ मणोजोगनिग्गहादीउ । भवकाले केवलिणो सेसस्स जहा समाहीए ॥१॥ મનોયોગાદિના નિગ્રહરૂપ ધ્યાન અંગીકાર કરવાનો ક્રમ મોક્ષ જવાના અવસરે કેવળજ્ઞાનીઓને હોય છે. બાકી અધિકારીઓ તો જેમ સમાધિ ઊપજે તેમ કરી લે છે. ધર્મધ્યાનના ચાર ભેદ आज्ञापायविपाकस्य क्रमशः संस्थिते स्तथा । विचयाय पृथग् ज्ञेयं, धर्मध्यानं चतुर्विधम् ॥१२०॥ આજ્ઞા સંબંધી, અપાય સંબંધી, વિપાક સંબંધી અને સંસ્થાન સંબંધી વિચાર કરવા માટે અનુક્રમે ધર્મધ્યાન ચાર પ્રકારે જુદું જુદું જાણવું. ભાવાર્થ : વસ્તુનો સ્વભાવ-આત્મસ્વરૂપ-તે ધર્મ છે. વષ્ણુ સદ્દો ધો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા એક વસ્તુ છે, તેથી આત્માનો સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે.. તે સંબંધી ધ્યાન-વિચારણા તે ધર્મધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરવા કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે જે વિચારો કરવા, જે જે નિર્ણયો કરવા, મન ઉપર તે તે સ્વભાવને લગતા સંસ્કારો પાડવા તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનથી વસ્તુસ્વભાવમાં પ્રવેશ કરવાની લાયકાત આવે છે અને શુકુલધ્યાનથી આત્મસ્વરૂપ થઈ રહેવાય છે. શરૂઆત ધર્મધ્યાનથી થાય છે, જેમાં મુખ્યતાએ વિચારણા કરીને હું અશુભ ભાવના કે વાસનાથી મનને પાછું હઠાવવું અને શુભ વિચારણા કે વાસના વડે મનને પોષિત કરવાનું છે. ૧. આજ્ઞા સંબંધી વિચારો કરવા, ૨. દુઃખનાં કારણોના શું વિચારો કરવા, ૩. દુ:ખનાં ફળોનો વિચાર કરી તેથી પાછા છે GBBBBBBBBBBBBBBBBBBRERURUZUPERSBOBERCRORESC BUBURBERRERORUBURBERUBGBUBUBURUEZURRURERSBOBOBEBUBBBBBREVIURBERREURBRUSY Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy