SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888888 નિહાપકા P88888888888888888888888888888888888888ASH&HSRSIGAYR88888888888888888888888888 હઠવું. ૪. અને લોકસંસ્થાન-લોકસ્થિતિનો વિચાર કરવો. એમ ધર્મધ્યાન જુદી જુદી પંક્તિની વિચારણાના-નિશ્ચયના ભેદને લઈને ચાર પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. બાકી સામાન્ય વિચારણાની અપેક્ષાઓ તો તેના ભેદો થઈ શકતા નથી. તે ધર્મધ્યાનના ભેદો અનુક્રમે બતાવવામાં આવે છે. આજ્ઞાવિચય ધર્મધ્યાન स्वसिद्धांतप्रसिद्धं यत्, वस्तुतत्त्वं विचार्यते । सर्वज्ञानुसारेण तदाज्ञाविचयो मतः ॥१२१।। જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ જે વસ્તુતત્ત્વ છે તેનો સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કરવો તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. ભાવાર્થ : સર્વજ્ઞની આજ્ઞા એટલે સર્વજ્ઞનો નિશ્ચયયથાતથ્ય, જેમ છે તેમ તે વસ્તુના સ્વરૂપનો વિચાર કરવો. એક જ્ઞાનીનો નિશ્ચય તે સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય તે એક જ્ઞાનીનો નિશ્ચય છે, તેમાં જરા માત્ર ફેરફાર નથી. સર્વજ્ઞનો નિશ્ચય એવો છે કે કોઈ વસ્તુ આમ જ છે એમ એકાંતે તેનો નિશ્ચય તમે કરી શકો જ નહિ, પરંતુ અપેક્ષાએ જ તે વસ્તુતત્ત્વ સંબંધે તમે કહી શકો. આત્મા એકાંતે નિત્ય કે અનિત્ય ન જ કહેવાય પણ દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ તે અનિત્ય છે. વિભાવપર્યાયો લાગુ પડે ત્યાં સુધી તે આત્મા શુદ્ધ થઈ શકે નહિ. જુદા જુદા દેહ ધારણ કરવા, ભિન્ન ભિન્ન વસ્તુઓમાં ઉપયોગને તે તે આકારે પરિણમાવવો, રાગદ્વેષના પરિણામે પરિણામ પામવું, ઈત્યાદિ વિભાવપર્યાયો કહેવાય છે. આત્મા સ્વરૂપનું ભાન ભૂલવાથી વિભાવપર્યાયો હું ગ્રહણ કરે છે. આત્માનો અખંડ ઉપયોગ આત્મસ્વરૂપમાં જ 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888ષ્ઠ 8 OoBBBBBBBBBBBBBBBBBBBBBBRSBEDREGRERROREBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy