SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ K8,49889643489899#8988@V88868 ાનદીપિકા તો જેવી રીતે સમાધિ થાય તેવી રીતે યોગ નિરોધાદિનો ક્રમ જાણવો. ભાવાર્થ : ધ્યાનની શરૂઆતમાં મન, વચન, કાયાના યોગોનો કેવા ક્રમથી નિરોધ કરવો તે વિષે વિચારો અહીં જણાવવામાં આવે છે. આ ક્રમનો વિધિ કેવળજ્ઞાનીઓને માટે છે, પણ ધર્મધ્યાનવાળા છદ્મસ્થ જ્ઞાનીઓને માટે નથી. કેવળ જ્ઞાનીઓ મોક્ષે જવાના વખત પહેલાં અંતર્મુહૂર્ત કાલ રહે ત્યારે શુક્લધ્યાનના ત્રીજા ચોથા ભેદની (પાયાની) શરૂઆત કરે છે. તેઓ પ્રથમ મનોયોગનો નિગ્રહ કરે છે. પછી વચનયોગનો નિગ્રહ કરે છે અને પછી સૂક્ષ્મ કાયયોગનો નિગ્રહ કરે છે, આ નિયમ શુક્લધ્યાનવાળા કેવળજ્ઞાનીઓ માટે છે. ધર્મધ્યાન કરવાવાળાને આ નિયમો લાગુ પડતા નથી. તેઓ તો જેમ અનુકૂળતા પડે, જેમ સરળતા થાય. જેમ વિક્ષેપ શાંત થાય તેમ ગમે તે જાતનો અનુક્રમ લે છે. ધર્મધ્યાનમાં મનાદિનો સર્વથા નિગ્રહ થતો નથી, પણ એક પ્રવાહ કોઈ એક ઉત્તમ આલંબનમાં-ધ્યેયમાં ચલાવે છે. કોઈ વખતે મનાદિકનો નિરોધ (ઉપશમ) કરે છે. આ નિરોધમાંથી પાછું વ્યુત્થાન દશામાં એટલે મનાદિની જાગૃતિમાં-મનની વિચાર આદિ પ્રવૃત્તિમાં આવવાનું ચાલુ રહે છે. સર્વથા નિગ્રહ થવા પછી પાછું વ્યુત્થાન થતું જ નથી. તેઓને તો આ દેહાદિમાંથી સદાને માટે છૂટા થવાનું જ રહે છે. એટલે મનાદિના નિગ્રહનો ક્રમ શુક્લધ્યાનમાં જ છે. ધર્મધ્યાન માટે તો અનુકૂળતા પ્રમાણે સદ્વિચારો કરવાથી કે મનાદિનો રોધ કરવાથી સ્વાસ્થ્યપણું-નિશ્ચલપણું પમાય, તેવો તે તે વખતે ઉપયોગ કરવાનો છે. આ જ બાબત અન્ય સ્થળે કહ્યું છે કે : Jain Education International 8888808888 REZ JUNUNUNUTETERERURURUZEJURURUTERUZUKURUZURUM For Private & Personal Use Only 888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy