SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888888888 નિવપકા 8િ888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 તેમ જ ધર્મ અનુષ્ઠાનનું સેવન કરવું તે પણ ધર્મધ્યાનનું આલંબન છે. ભાવાર્થ : ધર્મધ્યાનરૂપ મહેલ ઉપર ચડવામાં મદદગાર સહાયક દાદરો અને દોરડાંરૂપ વાચનાદિ આલંબન છે. આલંબનની મદદથી ઘણી ઝડપથી તેમ જ સહેલાઈથી ધારેલા સ્થાન ઉપર પહોંચી શકાય છે. વાચનાદિ ધર્મ અનુષ્ઠાન ધર્મધ્યાનમાં મદદગાર આલંબનો છે. વાચનાદિ-શિષ્યાદિકને નિર્જરા હેતુ જાણી સૂત્રાદિક ભણાવવાં. કોઈ પણ સૂત્રાદિના સ્થળોમાં શંકા પડે તો તે સંશયો દૂર કરવા માટે ગુર્નાદિકને પૂછવું તે પૃચ્છના છે. પૂર્વે ભણેલા સૂત્રાદિ ભૂલી ન જવાય તે માટે તથા નિર્જરાને માટે યાદ કરવાનો અભ્યાસ કરવો તે પરાવર્તન છે. અનુપ્રેક્ષા એટલે વિચારણા કરવી. આત્મલાભમાં ઉપયોગી બાબતોનો વિચાર કરવો, નિરુપયોગી અથવા આત્મલાભમાં વિજ્ઞભૂત વિચારોને હઠાવી ઉપયોગી બાબતોની મન ઉપર મજબૂત અસર કરવી તે વિચારણા છે. નિર્જરાને છે માટે તથા પોતાને તે બાબતોનો મજબૂત સંસ્કાર પડે તે માટે અન્ય મનુષ્યોને તે બાબતનો ઉપદેશ આપવો. અથવા આપસમાં ધર્મકથા કરવી. એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કહેવાય છે. તથા આત્મસ્વરૂપનું સ્મરણ બન્યું રહે-તેવી ઉપયોગી ક્રિયાઓ કરવી, જેથી વિશુદ્ધિ વિશેષ પ્રકારે બની રહે અથવા વૃદ્ધિ પામે તે સર્વ ધર્મઅનુષ્ઠાન, ધર્મધ્યાનમાં આલંબનભૂત કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે :आलंबणाइ वायणपुछ्छणपरियट्टणाण चिंताओ । सामाइयाइयाई सद्धम्मा वस्सयाई च ॥१॥ BBBBBBBBBBBBBBURGBERGBUBUBURDURUBURKRUBBBBBBBBBBBBBBBBBBBBBBBREROPUBBBB98 REE PROPORSRPSRSRURERERERURBERRRRRRRRERES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy