SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 338308388888 (038/888888888888&88&8/&8a8888888888 યાનદીપિકા 38/sસ્કરBSB દ્વs9@s388ર99#43/K જે કાલને વિષે યોગીયોના મન, વચન, કાયાના યોગોનું સમાધાન હોય (યોગોનું સ્વસ્થપણું હોય, વિક્ષેપ ન હોય) તે ધ્યાન કરવાનો કાળ જાણવો. દિવસાદિકનો નિયમ નથી. ભાવાર્થ : ધ્યાન કરવાનો સમય અમુક જ હોય એટલે રાત્રીએ જ ધ્યાન કરવું, ત્રણ સંધ્યાના વખતમાં ક૨વું, દિવસે ન કરવું, ઇત્યાદિ કાંઈ નિયમ જ નથી. પણ જ્યારે શરીર સ્વસ્થ-સારું હોય, મનમાં કોઈ પણ જાતનો વિક્ષેપ કે ચિંતા ન હોય તેવા વખતે ધ્યાન કરવા બેસવું. પછી તે દિવસ હોય, કે રાત્રી હોય, પહેલો પહોર હોય કે છેલ્લો પહોર હોય, તેનો કાંઈ નિયમ જ નથી, મનમાં વિચાર થયો કે અત્યારે ધ્યાન કરું તો ઠીક, તો તરત જ ધ્યાન કરવા બેસી જવું. આથી એ નિર્ણય થાય છે કે જ્યારે મનમાં કોઈ ચિંતા હોય કે વિક્ષેપના કારણો આવ્યાં હોય કે આવવાનાં હોય તે વખતે ધ્યાન કરવાના નિષેધવાળો સમજવો. બાકીના સર્વ વખતે ધ્યાન કરવું. ધ્યાનશતકમાં કહ્યું છે કે : कालो वि सोच्चिय जहिं, जोगसमाहाणमुत्तम लहइ, न उ दिवसनिसावेलादिनियमणं झ्झाइणो भणियं ॥ ३ ॥ ધ્યાનને લાયક પણ તે જ કાલ ઉચિત છે કે જે કાલમાં, મન, વચન, કાયાના યોગોનું ઉત્તમ સ્વસ્થપણું પામીએ; પણ દિવસ, રાત્રી, વેલા, મુહૂદિ, આદિ શબ્દથી આગલો પહોર, પાછલો પહોર, ઇત્યાદિનો નિયમ ધ્યાન કરવાવાળાને તીર્થંકર ગણધરાદિકોએ કહ્યો નથી. કેવા આસને બેસી ધ્યાન કરવું ? पद्मासनादिना येनासनेनैव सुखी भवे त् । ध्यानं तेनासनेन स्यात् ध्यानिनां ध्यानसिद्धये ॥ ११६ ॥ asssb,sease&G #VAGદ્વાર89,Ga,G@GNRGs( ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy