SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888a8a8a8888888888. ઉદ્વિચ્છ,4984949 ફિસ્કર99\RASSટી ધ્યાનદીપિકા યોગોને સ્થિર કરવાના અભ્યાસ કરવાવાળા અને ધ્યાનને વિષે નિશ્ચલ મનવાળા મુનિઓને મનુષ્યોથી ભરેલા ગામમાં કે શૂન્ય અરણ્યમાં રહેવામાં કાંઈ વિશેષ નથી. ભાવાર્થ : ધીરજ અને સંઘયણમાં બળવાન શરીરવાળા, જ્ઞાનાદિ ભાવનાઓના વ્યાપારનો જેણે સારી રીતે અભ્યાસ કરેલો હોય તેવા, વળી મહાસત્ત્વવાળા, સૂત્ર અદના અનુભવવાળા અને તપશ્ચરણાદિમાં શરીરને સારી રીતે જેણે કસેલું હોય તેવા અભ્યાસવાળા તથા ધર્મધ્યાનને વિષે સારી રીતે નિઃપ્રકંપ નિશ્ચલ મનવાળા મુનિઓ, વસ્તીથી ભરેલા ગામમાં રહે અથવા નિર્જન પ્રદેશવાળા સૂના અરણ્યમાં જઈને રહે તો તે બન્ને તેઓને મન સરખું છે. મતલબ કે આટલી સ્થિતિ સુધી જેઓનું મન સ્વાધીન થયું છે, તેઓને ગામમાં રહેતાં પણ વિક્ષેપ થતો નથી અને અટવીમાં જઈને રહે તો પણ કાંઈ વિશેષ નથી. જેનું મન કાબૂમાં આવ્યું હોય તેને મન તો સર્વ સ્થાનો સરખાં જ છે. ત્યારે કેવા સ્થાને રહી ધ્યાન કરવું ? तो जथ्थ समाहाणं होज्ज मणोवयणकाययोगाणं । भूउवरोहरहिओ सो देसो झ्झायमाणस्स ॥ १ ॥ માટે જ્યાં જે સ્થળે ધ્યાન કરતાં મન, વચન, કાયાના યોગોનું સમાધાન રહે (તેમાં વિકૃતિ ઉત્પન્ન ન થાય) અને જે સ્થળે પૃથ્વીકાયાદિ જીવોને સંઘટન આદિ ઉપદ્રવ ન થાય તે દેશ (સ્થળ) ધ્યાન કરવાવાળાને યોગ્ય છે. ધ્યાન કરવાનો કાળ (વખત) એટલે ક્યારે ધ્યાન કરવું ? यत्र काले समाधानं, योगानां योगिनो भवेत् । ध्यानकालः स विज्ञेया, दिनादेर्नियमो ऽस्ति नः ॥ ११५ ॥ ૨૬૨૩%aa%a8a8a8a8a8aa3333333wYfwafa**/sa Jain Education International For Private & Personal Use Only 8888888 3888ap888 38838&g www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy