SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Callot Elfus, PERBRERORDREBBZOBRADBUBUBURBERRABZ. OGBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBREREBRRRRRRREBORBEREBBBBBBBBBBBBBURUBUBBBBBR પ્રદેશ નાની નાની ટેકરીઓવાળો હોય, તેના ઉપર વિવિધ પ્રકારની હરી વનસ્પતિ ઊગી નીકળી હોય, પાણીના ઝરણો ખળખળાટ કરતા વહન થઈ રહ્યાં હોય, પક્ષીઓ કલરવ કરી રહ્યાં હોય, સુંદર અને સ્વચ્છ શિલાપટો આવી રહેલાં હોય, દેખીતી રીતે સ્થાન સર્વથી ઊંચું હોય, ડાંસ, મચ્છરાદિનો ઉપદ્રવ ન હોય અને જ્યાં કુદરતી દેખાવો જ મનને આહલાદ ઉત્પન્ન કરનારા હોય તેવા શાંત, પવિત્ર, નિર્જન અને રળિયામણા પ્રદેશોમાં ધ્યાન કરવાથી મન ઉપર ઘણી સારી અસર થાય છે. ઘણી સહેલાઈથી મન સ્થિરતા પકડે છે. ધ્યાનને માટે કેવું સ્થાન જોઈએ તે માટે ધ્યાનશતકમાં કહ્યું છે કે :निच्चं चिय जुवइपसुनपुंसगकुसीलवज्जियं । । जइणो ठाणं विजयं भणियं विसेसओ झ्झाणकालंमि ॥१॥ નિરંતરને માટે સાધુઓનું સ્થાન-રહેવાનો મુકામ, સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલ દુરાચારીના સંગથી રહિત જ હોય છે. અને તે કારણથી તે સ્થાન (સ્ત્રી આદિ મનવિક્ષેપના કારણના અભાવવાળું હોવાથી) નિર્જન કહેલું છે. છતાં પણ ધ્યાન કરવાના વખતે તો વિશેષ પ્રકારે નિર્જન હોવું જોઈએ. જેનું મન આત્મભાવમાં પરિણમ્યું નથી તેવાઓને આવાં નિમિત્તો વચ્ચે ધ્યાનનું આરાધન કરવું તે અશક્ય જેવું છે. માટે તે નિર્જન પ્રદેશ શરૂઆતના અભ્યાસી માટે ધ્યાન સારું હોવો જોઈએ. શું સ્થિર યોગવાળા માટે તેવા સ્થાનની ખાસ જરૂર છે. थिरकयजोगाणं पुण मुणीण इझाणेसु निञ्चलमणाणं । गामंमि जणाइन्ने सुन्ने रन्ने व न विसेसो ॥२॥ 28*URBASERRRRRRRRRUUDUBBBBBREVIUREDBRUDERUPEREREREBBBBBBBBBBBOROBERCEDORAS CHUBBBCRBBBEERSBOBERURUBBELBER BEBERGBORBEREI) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy