SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 0888a888888888 3888888888888 88 8888888 (888888888888@g ધ્યાનદીપક, રર રરર8888888888888888 અંતરનું વાતાવરણ સુધારવાનો હેતુ એ છે કે મન ઉ૫૨ જે અસર થાય છે તે પોતાની માન્યતાની જ વધારે અસર થાય છે. એટલે હું શુદ્ધ આત્મા છું, અનંતશક્તિમાન છું, કર્મ મને નુકશાન કરી શકે તેમ જ નથી, કારણ કે કર્મને જાણવાનું કે બનાવવાનું પણ બળ મારામાં છે, તેને વિખેરી નાખવાની સત્તા મારામાં છે. તેના દરેક સ્વભાવને જાણવાનું બળ મારામાં છે, હું હોઈને જ તે કર્મની હયાતી છે, મારા સિવાય તેની હયાતી જ નથી, મારા આધારે જ તે કર્મો ટકી શકે છે (રહે છે) ઈત્યાદિ પ્રબળતાના વિચારો મજબૂતી પામ્યા હોય તો બાહ્ય વાતાવરણ અસર કરી શકતું નથી. ત્રીજી રીતે બહારનું વાતાવરણ શુદ્ધ રાખવું એટલે પોતાથી ભિન્ન જે જે જીવો દેખાય છે તેમની શુદ્ધ સત્તા સામી દૃષ્ટિ આપવી કે જે સન્મુખ દેખાય છે તે સર્વે શુદ્ધ આત્માઓ છે, કર્મની ઉપાધિને લઈને બધા વિવિધ પ્રકારના દેખાવ આપે છે, પણ તાત્ત્વિક રીતે સર્વે આત્મસ્વરૂપ છે તો જેમ તે આત્મસ્વરૂપ છે, તેમ હું પણ આત્મસ્વરૂપ છું. ત્યારે તેમના સંબંધમાં મને કાંઈ વિચાર કરવાનું રહેતું જ નથી. નાના-મોટા, સારા-નઠારા વગેરે કહેવાપણું રહેતું જ નથી. તે સર્વ વાતો તો કર્મની વિવિધતામાં છે. તેને લઈને જ છે, પણ આત્મદૃષ્ટિથી સત્ય સ્વરૂપે તપાસતાં તો સર્વ સરખા છે. તો કોના ઉપર રાગ કે દ્વેષ કરવો, હર્ષ કે શોક કરવો. ઇત્યાદિ વિચારો દ્વારા, બહારના વાતાવરણને ઉત્પન્ન કરનાર જીવોને જ શુદ્ધ માનવામાં આવે તો તેમના નિમિત્તે જે રાગદ્વેષ, હર્ષશોક કે વિચારો ઊઠે છે, તે ઊઠતા બંધ થાય અને આપણું ધ્યાન કે વર્તન શુદ્ધ થાય, રાગદ્વેષ વિનાનું બને અને તેમ બને તો સંવર થાય, નવીન બંધ અટકે, આત્મબળ વધે, કર્મ ČZUHURURURUTUJETETUJUTUTUNUNUKURERERUKURERE QUE For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy