SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા નખન8888888સ્કર શરીર દ્વારા જે અણુઓની આપ-લે ત્યાં થઈ છે, એટલે બહારથી જે અણુઓ, (અહીં અણુ શબ્દથી તે વર્ગણાને લાયક પુદ્ગલ સ્કંધો લેવા મૂકવાનું સમજવું) તેમણે ગ્રહણ કર્યા છે અને મન, વચન અને શરીરની પ્રવૃત્તિ દ્વારા જે પુદ્ગલો મૂક્યાં છે તે પોતાના વિચારપણે પરિણમાવીને, વચનપણે પરિણમાવીને અને શરીરનો સંબંધ કરાવીને મૂકી દીધાં છે તે અણુઓ તે મૂકનારના બળ પ્રમાણે અને તેના મજબૂત જથ્થાના પ્રમાણમાં ત્યાં ટકી રહે છે. તેનું વાતાવરણ બંધાય છે. 398888888888 &8888888888893838888888 3888888888 &8888888 9E8888888888 8888888 તે સ્થળે જે મનુષ્યાદિ લાંબા કાળ સુધી રહેલ છે તેના મન, વચન, શરીરની પ્રવૃત્તિ, નિવૃત્તિ-પછી તે શુભ હોય કે અશુભ હોય તેના પ્રમાણમાં તેનું વાતાવરણ બંધાય છે અને તે વાતાવરણની થોડીઘણી અસર ત્યાં બેસનાર કે આવનારના મન ઉપર થયા સિવાય રહેતી નથી. દાખલા તરીકે એક વેશ્યાના ઘરનું વાતાવરણ ને એક ધર્મસ્થાનનું વાતાવરણ લો. વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યા પછીના અને તે પહેલાના તમારા વિચારોને તપાસી જોશો તો અવશ્ય તેમાં કાંઈ ફેરફાર થયેલો તમને માલૂમ પડશે. આવી જ રીતે જે ધર્મસ્થાનમાં તમે પ્રવેશ કર્યો છે તે પછીના અને તે પહેલાંના તમારા વિચારોને તપાસી જોશો તો જરૂર તેમાં આગળના વિચારોમાં ફેરફાર થયેલો માલૂમ પડશે. પોતાના વિચારોથી જે વાતારણ બંધાય છે. તેની પણ અસર પોતાના ઉપર થયા સિવાય રહેતી નથી. તેમ તમે એક જ સ્થળે બેસીને નિરંતર જે વખતે ૫રમાત્માનું ધ્યાન કરતા હશો તે સ્થળે જ્યારે જ્યારે આવશો-બેસશો ત્યારે ત્યારે તમારા વિચાર પર ત્યાંના વાતાવરણની અસર થયા કરશે. એટલો વિશેષ છે કે તે સ્થળે લાંબા કાળ સુધી સારા કે નઠારા ૧૭ Jain Education International 3,8888@88K898KG3830888K8888 ૨૫૭ BR BR BR BR For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy