SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888 નેuપકા BUBUBURBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18:38 જે સ્થળે જીવો સિદ્ધદશા પામેલા હોય તેવા તીર્થ આદિક ક્ષેત્રમાં, સારા સ્થાનોમાં, મનુષ્યોની વસ્તી વિનાનાં સ્થાનોમાં અથવા મનને પ્રીતિ આપવાવાળા પ્રદેશોમાં મુનિઓને ધ્યાનની સિદ્ધિ થાય છે. ભાવાર્થ ? મનને આત્મામાં લીન કરી દેવાની કે જે આત્મામાં ગાળી દેવાની મજબૂત અભ્યાસ કે ટેવ પાડવામાં નથી આવી ત્યાં સુધી મન વારંવાર નિમિત્તોને પામી તેવા આકારે પરિણામ પામે છે. ધ્યાન વખતે આજુબાજુના હલકા સંયોગોને લઈ નિમિત્તોને પામી, મન ધ્યાનને મૂકી દઈ બીજા ભાવમાં પરિણામ ન પામે તે માટે સ્થાન સારું હોવાની જરૂરિયાત છે. આજુબાજુનું વાતાવરણ જેમ ઊંચા વિચારનું અને પવિત્ર હોય તેમ મન જલ્દી શાંત થાય છે. સારા અને નઠારા વાતાવરણની પણ અસર મન ઉપર થયા સિવાય રહેતી નથી. તે માટે ઉત્તમ સ્થાનની ધ્યાન માટે જરૂરિયાત છે. વાતાવરણ બે પ્રકારે બંધાય છે. એક અન્ય મનુષ્યાદિના વિચારો તથા જે સ્થાને તેઓ લાંબો વખત રહી જે પ્રવૃત્તિ કરે છે તેથી બંધાય છે, તથા બીજું પોતાના વિચારોને લઈને બંધાય છે. પ્રથમ વાતાવરણ આ પ્રમાણે છે કે અમુક સ્થળે બેસી પોતાના જીવન સંબંધી કે પ્રવૃત્તિ-નિવૃત્તિ સંબંધી અનેક વિચારો તેઓ કરે અને પછી તેઓ ત્યાં ચાલ્યા જાય. આ વાતાવરણ ઘણા થોડા વખત સુધી ટકી રહે છે, કારણ કે તેમણે અહીં જે વિચારો કર્યા છે, વચનથી તેઓ જે કાંઈ બોલ્યા છે અને શરીર દ્વારા જે વર્તન કર્યું છે તે થોડા વખત માટેનું છે. છતાં તેટલા વખતમાં પણ તેમના મન દ્વારા, વચન દ્વારા અને BUZURUBSZURDURUBUBUBUBBORGBUBUBURGDOREBBBBBBBBBBBBBBBBBBBBBBBUBB33ROBOBOS 248 BSBGBUBBBBBBBBBBBBBBBBBBBBBUZURRUROPOZORA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy