SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ R2888888888888888888888888888 88888888888888888888888888888888888 કિ88888888888,88%98.89%8888888 ર૭:૪૪,ર૪.કઈ થાન દીપિકા છે થાય તેવી રીતે બુદ્ધિને નિશ્ચળ કરી, પછી ધ્યાન કરે છે આત્માદિનું ચિંતન કરે. દર્શનભાવના संकाइसल्लरहिओ पसमथिज्जाइगुणगणोवेउ । होइ असंमूढमणो दंसणसुद्धिए झ्झाणंमि ॥३॥ આત્માના અસ્તિત્વ-નિયત્વાદિમાં શંકાદિક શલ્યરહિત શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા આસ્તિક્યાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂહયુક્ત એવો મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી ધ્યાનને વિષે ભ્રાંતિ વિનાના મનવાળો થાય છે. ચારિત્રભાવના नवकम्माणायाणं पोराणविनिज्जरं सुभायाणं । चरित्तभावणाए झ्झाणमयत्तणेय समेइ ॥४॥ ચારિત્રભાવના વડે નવીન કર્મનું ગ્રહણ થતું નથી. પૂર્વનાં કર્મોની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે, તથા સાતા વેદનીયવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને વિનાપ્રયત્ન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સર્વ સાવદ્ય-પાપવાળા-મનવચન કાયાદિ યોગોની નિવૃત્તિરૂપ ક્રિયાને ચારિત્ર કહે છે. તેનો અભ્યાસ કરવો તે ચારિત્રભાવના છે.) વૈરાગ્યભાવના सुविइयजगस्सहावो निःसंगो निभ्भओ निरासो य । वेरग्गभावियमणो इझाणंभि सुनिच्चलो होइ ॥५॥ સારી રીતે જગતના (જન્મ, મરણ, સંયોગ, વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપ) સ્વભાવને જાણનાર વિષય BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18 Buy BERURURLAUBERURLAURERERERUPERORURGRERUPERUS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy