SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન દીપિકા 38,[8,@3,386Y48,393,689,68રશ્ય ખરાં, રહેતો નથી. પણ એટલે દરજ્જે તેની દૃષ્ટિ ખૂલવી જોઈએ. નિરંતરની ટેવથી તેવી દિષ્ટ સહજ થઈ જાય છે અને છેવટે ગમે તેવી અન્યને હલકી લાગતી બાબતોમાંથી પણ શીખવાનું મળે છે. પોતાને સુધારવાની કે સદ્ગુણી બનવાની ઇચ્છાવાળા મનુષ્યોએ આ દુનિયાને ગુરુ બનાવીને, કે શીખવાની શાળા સમજીને તેમાંથી દરેક ક્ષણે, દરેક પ્રસંગે સદ્ગુણ કે શિખામણ શોધતાં જ રહેવું. જે બોધ પુસ્તકોમાંથી નથી મળતો તે બોધ આ દુનિયામાંથી મળી શકે છે. મારું-તારું મૂકી દઈ દૃષ્ટિ બદલવી જોઈએ તો જ ગુણો મળે છે. 333333334088 તેવી દૃષ્ટિ ન થાય ત્યાં સુધી અમુક મર્યાદા કે જે સદ્ગુણવાળા ધર્મગુરુઓ કે દેવાધિદેવ વગેરેમાં હોય છે. તેમાં રહેવું. પોતે જે સંપ્રદાયમાં રહેલો હોય છે, તે સંપ્રદાયના ધાર્મિક મનુષ્યો, ગુરુઓ, ઈત્યાદિના જ્ઞાનાદિ ગુણોની, ઉત્તમ જીવનની, તપશ્ચરણાદિની ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, જિતેન્દ્રિયતા, નિઃસ્પૃહતા પરોપકારિતા, આત્મપરાયણતા, ઈત્યાદિ સદ્ગુણો જેમાં હોય તેઓના ગુણો જોવાની ટેવ રાખવી, તેઓના ગુણોની પ્રશંસા કરવી, તેઓની ભક્તિ કરવી, તેમનું બહુમાન કરવું. તેઓના ગુણો દેખી રાજી થવું, અન્યની આગળ તેઓના ગુણો બોલવા વગેરેથી પ્રમોદિત થવું. આ પ્રમોદભાવના છે. ગુણ જોના૨ માણસ સદ્ગુણી થાય છે, દોષ જોના૨ માણસ દુર્ગુણી બને છે. કારણ કે એકની ભાવના ગુણ જોવાની છે, તેનું અંતઃકરણ ગુણોનું જ મનન કરે છે, ગુણોનું જ શોધન કરે છે અને તેની મજબૂત ભાવનાની અસર મન ઉપર દૃઢ થતાં તેમાં સદ્ગુણો જ નિવાસ કરીને રહે છે. જે માણસ અન્યના દોષો શોધ્યા કરે છે, છિદ્રો તપાસ્યા કરે છે, તેની ભાવના દોષો જોવાની જ હોય છે, તેનું મન 333,8983333 @8888888888838/s3ર9ર88@Gsssss[ ૨૪૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy