SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ GR4GBSW999YYY)969 ધ્યાન દીપિકા શારીરિક બળ, મનોબળ, વચનબળ, જ્ઞાનબળ જાહેર હિંમત, ઇત્યાદિ શક્તિઓને વિકાસ પામવાનો વખત મળે છે. મળેલ શક્તિઓનો ઉપયોગ કરવાનું સાધન-પાત્ર આપણને મળી આવે છે અને કરાયેલા પરોપકાર દ્વારા અંતઃકરણ પવિત્ર થાય છે. વળી સામા પાત્રોને જેટલા આપણે સુધારીએ છીએ તેટલા સુધરીએ છીએ અને તેના પ્રમાણમાં આપણને સુધારનાર મહાત્માઓનો સમાગમ થાય છે. આપણા હૃદયની પવિત્રતાના પ્રમાણમાં આપણે સુધરી શકીએ છીએ, એટલે કરુણા કરવી તેમાં ખરી રીતે તપાસીએ તો આપણો જ પહેલો સ્વાર્થ છે. પ્રમોદભાવના G D G D G R G RERERERERG RG G G G D G H X 888888888£ 888888888 जिनधर्मंजुषां ज्ञानचक्षुषां च तपस्विनाम् । निः कषायजिताक्षाणां गुणे मोदः प्रमोदता ॥ ११० ॥ જિન ધર્મવાળા, જ્ઞાન ચક્ષુવાળા, તપશ્ચર્યા કરનારા, કષાય વિનાના, ઇંદ્રિયોનો જય કરનારાના ગુણોને વિષે આનંદ પામવો-તેની અનુમોદના કરવી તે પ્રમોદભાવના છે. ભાવાર્થ : ગુણવાન જીવોના ગુણની અનુમોદના કરવી, તે ગુણોને લીધે તેઓના ઉપર પ્રેમભાવ ધારણ કરવો, ગુણનો પક્ષપાત રાખવો, અન્યમાં સદ્ગુણો જોઈને ખુશી થવું, લોકોની આગળ અન્યના ગુણોની તારીફ કરવી-પ્રશંસા કરવી, ઇત્યાદિને પ્રમોદભાવના કહે છે. વિચાર કરતાં તમને માલૂમ પડશે કે કોઈમાં કોઈ ને કોઈ પણ ગુણ તો હોય છે જ. સર્વગુણી તો વીતરાગ દેવ છે, તે સિવાય પણ માણસ જાત કે જીવ જાત સર્વથા નિર્ગુણી જ હોય છે એમ તો ન જ કહી શકાય. ગમે તેવી વસ્તુમાંથી કે જીવોમાંથી ગુણ શોધનારને કાંઈ ને કાંઈ ગુણ મળ્યા સિવાય ૨૪૬ ૩૩૩888888888888888888888888888888888888888 Jain Education International 8082383838.888888888888888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy