SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 338383088888888888888888888 98338&&&& fa88888898888888888888 8888888F ધ્યાનદીપિકાસ્ટર"6348989 RG68A98498988 છે. દેહના ફેરફારને લીધે કે શુભાશુભ કર્મની ઉપાધિને લીધે એકબીજાઓ એકબીજાઓથી જુદા જુદા દેખાય છે, પણ આત્મદૃષ્ટિએ જોતાં જે આત્મસ્વરૂપ તમારામાં છે તે જ આત્મસ્વરૂપ તેમનામાં છે. સત્તાએ સર્વની શક્તિ એકસરખી છે, સર્વનું જ્ઞાન એકસરખું છે, સર્વનું સ્વરૂપ એકરસ છે. તેથી સર્વ જીવો આત્મસ્વરૂપ છે અને તેને લઈને શત્રુ, મિત્ર, સુખી, દુ:ખી, ઇત્યાદિ ભેદનો વિચાર અહીં કરવાનો નથી, પણ જેમાં જીવતત્ત્વ રહેલું છે તે બધા, પછી ગમે તે દેશ, કાળમાં રહેલા હોય તથાપિ તે સર્વ જીવોમાં મિત્રભાવના રાખવી. મિત્રનું જેમ આપણે બૂરું ચિંતવતા નથી, પણ તેને માથે કોઈ આપત્તિ આવી પડી હોય તો મદદગાર થઈએ છીએ, તેમ આત્મસ્વરૂપે એકસરખા જીવોનું હિત ચિંતવવું, તેમને મદદ આપવી, અને તેમના બૂરામાં જરા પણ રાજી ન થવું, આ મૈત્રીભાવના છે. સર્વ જીવોના તરફ આ ભાવના હોવી જોઈએ કે સર્વ જીવો સુખી થાઓ, સર્વ જીવો નીરોગી બનો, સર્વ જીવોનું કલ્યાણ થાઓ, કોઈ દુ:ખી ન થાઓ, કોઈ જીવ પાપ ન કરો, આખું વિશ્વ દુઃખથી કે કર્મથી મુક્ત થાઓ. આ મૈત્રીભાવનાની પોતાના હૃદય પર સચોટ અસર થતાં આ દુનિયાના જીવો તરફ જે દ્વેષની લાગણીઓ થતી હતી તે બંધ પડશે, વેવિરોધ શાંત પામશે, હૃદય શાંતિ મેળવશે, મનની મલિનતા ચાલી જઈ પવિત્રતા વધશે, આત્મસ્વરૂપ પ્રાપ્ત થવાની યોગ્યતા વધશે. માટે દુનિયાના દરેક પ્રસંગમાં જાગૃત રહી, સર્વ જીવો તરફ મૈત્રીભાવના રાખવી. આથી પવિત્ર થયેલા હ્રદયમાં ધર્મધ્યાન સ્થિરતા પામશે. PERERERERERERERUPERERETETERERERUPERERERER 283 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy